Class 9 Gujarati Textbook Solutions Chapter 9 પારખું Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1. પારખું ગદ્યકૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
(A) હળવું એકાંકી
(B) પૌરાણિક એકાંકી
(C) ઐતિહાસિક એકાંકી
(D) સામાજિક નાટક
ઉત્તર :
(A) હળવું એકાંકી
પ્રશ્ન 2. ‘પારખું” ગદ્યકૃતિમાં રમૂજી પ્રસંગોની રજૂઆત કોને આધારે કરેલી છે?
(A) બેકાર વકીલની બડાશ અને ગેરસમજ
(B) બેકાર તબીબ(ડૉક્ટર)ની બડાશ અને ગેરસમજ
(C) બેકાર સુશિક્ષિતની બડાશ અને ગેરસમજ
(D) બેકાર એન્જિનિયરની બેકારીને કારણે
ઉત્તર :
(B) બેકાર તબીબ(ડૉક્ટર)ની બડાશ અને ગેરસમજ
પ્રશ્ન 3. ‘પારખું એકાંકીમાં નીચેનામાંથી કયું પાત્ર સમાવિષ્ટ નથી?
(A) મનમોહન
(B) અનિરુદ્ધ
(C) ડૉ. પીયૂષ
(D) કરુણાશંકર
ઉત્તર :
(D) કરુણાશંકર
પ્રશ્ન 4. ‘જમાઈ બદલાય, કાંઈ સસરો ઓછો બદલાવાનો છે’ – વાક્ય નીચેનામાંથી કોણ કહે છે?
(A) ડૉ. પીયૂષ
(B) નરરત્નમણિરાવ
(C) અનિરુદ્ધ
(D) ગમન
ઉત્તર :
(C) અનિરુદ્ધ
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. અનિરુદ્ધ શા માટે ડૉ. પીયૂષને સસરાથી સંભાળવાનું કહે છે?
ઉત્તર :
ડૉ. પીયૂષના સસરા જરા વહેમી છે. વળી પાછા જૂના જમાનાના છે. જો તે દવાખાનાના ભભકામાં ન અંજાયા, તો વિવાહ ફોક કરી નાખશે. આથી અનિરુદ્ધ ડૉ. પીયૂષને સસરાથી સંભાળવાનું કહે છે.
પ્રશ્ન 2. અનિરુદ્ધ ડૉ. પીયૂષને શા માટે પોતાનો ઉપકાર માનવા કહે છે?
ઉત્તર :
અનિરુદ્ધ ડૉ. પીયૂષને ડૉ. પીયૂષરાયજી લખવાનું – બોલવાનું નહીં તેમ જણાવે છે. તેથી તે ડૉ. પીયૂષને પોતાનો ઉપકાર માનવા કહે છે.
પ્રશ્ન 3. નરરત્નમણિરાવને એવું શા માટે લાગે છે કે પોતે છોકરીને જાણી જોઈને દુઃખમાં નાખી છે?
ઉત્તર:
નરરત્નમણિરાવ ડૉ. પીયૂષનું પારખું લેવા આવે છે ત્યારે ડૉ. પીયુષના ઉદ્ધત વર્તનથી તેમજ દવાખાનાની પરિસ્થિતિની જાણથી એમને લાગે છે કે તે છેતરાયા છે અને છોકરીને જાણીજોઈને દુઃખમાં નાખી છે.
3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :
પ્રશ્ન 1. અનિરુદ્ધનું પાત્રાલેખન કરો.
ઉત્તર :
અનિરુદ્ધ ડૉ. પીયૂષનો મિત્ર છે. ડૉ. પીયૂષ બેકાર છે તે અનિરુદ્ધ સારી રીતે જાણે છે. તેથી ડૉ. પીયૂષ બડાશ હાંકે છે ત્યારે તે તેને રોકડું પરખાવે છે. ડૉ. પીયુષ જ્યારે તેને સભ્યતા શીખવાની વાત કરે છે ત્યારે તે કહે છે, “આપ કશા જ કામ વિનાના અહીં બેઠા હતા એવી નક્કર વસ્તુસ્થિતિથી મને વાકેફ કરવાની સભ્યતા આપે શીખી લેવી.’ પછી તે ડૉ. પીયૂષને મજાકમાં સભ્યતાથી બોલાવે છે. અનિરુદ્ધ ડૉ. પીયૂષને કહે છે કે નીલુ નામની છોકરીના પિતા તેને જોવા-પરખવા આવવાના છે ત્યારે ડૉ. પીયૂષ ખુશ થઈ જાય છે અને તેમના વિશેની બધી જ માહિતી વિનંતી કરીને મેળવી લે છે. અનિરુદ્ધ તેને વ્યંગમાં ઘણું બધું સંભળાવે છે. જેમ કે – “અહીંના જેવી શાંતિ ક્યાં મળવાની છે?”, “જમાઈ બદલાય, કાંઈ સસરો ઓછો બદલાવાનો છે!’
આમ, અનિરુદ્ધનું પાત્ર નાટકમાં રમૂજ લાવે છે.
પ્રશ્ન 2. ડૉ. પીયૂષ નરરત્નમણિરાવ પર પ્રભાવ પાડવા માટે શું કરે છે?
ઉત્તર :
ડૉ. પીયૂષે નરરત્નમણિરાવને જોયેલા નથી, પરંતુ અનિરુદ્ધના કહેવાથી તે તેમનું પારખું લેવા આવે છે તેમ જાણે છે. આથી તે તેમના પર પ્રભાવ પાડવા માટે ટેબલ પર કેસની ફાઈલ અને 1 લિટરેચર મુકાવે છે. તે જ્યારે આવે છે ત્યારે કમ્પાઉન્ડરને જાતજાતના આદેશ આપે છે. તેમણે પીયૂષ-ડૉસ’ નામની નવી શોધ કરી છે તેમ જણાવે છે. હજાર-બારસોનો એવરેજ વકરો થાય છે તેમ જણાવે છે. મહિને 500-600 દાંત પાડવામાં આવે છે તેમજ પચાસેક મેજર ઑપરેશન્સ કરે છે તેમ કહે છે. પીયૂષ-ડ્રૉસ અને પીયૂષ-પેઇસ્ટ વાપરવાની ભલામણ કરે છે.
પરંતુ જ્યારે તે વ્યક્તિ પોતાની ઓળખ આપે છે કે હું અહીંનો surecharge collector છું, ત્યારે જ તેમને ખ્યાલ આવે છે કે તે નરરત્નમણિરાવ નહીં પરંતુ મનમોહનદાસ હતા.
પ્રશ્ન 3. પારખું કરવા નીકળ્યો એટલે પારખું થઈ ગયું – નરરતમણિરાવના આ વિધાનને વિગતે સમજાવો.
ઉત્તર :
નરરત્નમણિરાવની દીકરી નીલુના વિવાહ ડૉ. પીયુષ સાથે થવાના છે. નરરત્નમણિરાવ ડૉ. પીયૂષનું પારખું કરવા આવે છે, પરંતુ અનિરુદ્ધના જણાવ્યા પ્રમાણેના લાંબા કાળા કોટ, કાશ્મીરી ટોપી અને ચાર પાટલીનું ધોતિયું’ના પોશાકમાં આવતા નથી, તેને બદલે તે કોટ-પાટલૂનના પોશાકમાં આવે છે. તેથી ડૉ. પીયુષ તેમને ઓળખતા નથી અને તેમના દરેક પ્રશ્નનો ઉત્તર ઉદ્ધતાઈથી આપે છે. તેનાથી તેમના દવાખાનાની નક્કર હકીકત બહાર આવે છે, કે દવાખાનાનું ચાર માસનું ભાડું બાકી છે. પીયૂષ-પેઇસ્ટ તેમની નથી. લેન્સેટ પણ ભાડૂતી છે. કેસ પર કમિશન છે, વગેરે. નરરત્નમણિરાવને ડૉ. પીયૂષ છેતરપિંડી કરી છે એમ લાગે છે ત્યારે તે ગુસ્સે થઈ તેમને ‘હરામખોર!’ કહે છે. આથી ડૉ. પીયૂષ તેમને તમાચો મારે છે.
આમ, નરરત્નમણિરાવ જમાઈનું પારખું કરવા નીકળ્યા પણ તેમનું પારખું થઈ ગયું કે “છતી આંખે તેમણે દીકરીને કૂવામાં નાખી છે!’