Class 9 Gujarati Textbook Solutions Chapter 8 આભાર Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1. ઘરમાં થોડું આકાશ લઈને કોણ આવે છે?
(A) કબૂતર, કપોત, ચકલી
(B) કપોત, કોયલ, પોપટ
(C) ઘુવડ, મોર
(D) કાબર, હોલા, કાગડો
ઉત્તરઃ
(A) કબૂતર, કપોત, ચકલી
પ્રશ્ન 2. ભીંતની તિરાડમાંથી કોણ બહાર આવે છે?
(A) તૃણ (ઘાસ)
(B) ચકલી
(C) માણસ
(D) પ્લાસ્ટિકનાં ફૂલો
ઉત્તરઃ
(A) તૃણ (ઘાસ)
પ્રશ્ન 3. કવિને શું ગમે છે?
(A) છોડ ઉપર પ્લાસ્ટિકનાં ફૂલો ઊઘડે છે તે
(B) મૂંડાંમાં પ્લાસ્ટિકનાં ફૂલો ઊઘડે છે તે
(C) માટીમાં વનનાં આદિમ મૂળો રહેલાં છે તે
(D) સાચાં ફૂલો ઊઘડે છે તે
ઉત્તરઃ
(C) માટીમાં વનનાં આદિમ મૂળો રહેલાં છે તે
પ્રશ્ન 4. “આભાર” કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
(A) સૉનેટ
(B) ગઝલ
(C) ઊર્મિકાવ્ય
(D) પદ
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. ‘અમો સૌનાં ઋણી’ – એવું કવિ શા માટે કહે છે?
ઉત્તર :
“અમો સૌનાં કણી’ પંક્તિમાં આભારનો ભાવ જોવા મળે છે.
પ્રશ્ન 2. અમે આકાશ તરફ શું ચણી લીધું છે?
ઉત્તર:
અમે આકાશ તરફ ભીંત ચણી લીધી છે. એમ કરીને અમે કુદરતથી મોં ફેરવી લીધું છે.
પ્રશ્ન 3. ભીંતમાંથી પૂછ્યા વગર શું નીકળે છે?
ઉત્તર :
ભીંતમાંથી પૂછ્યા વગર ઘાસનું તણખલું બહાર નીકળે છે. કુદરતે તેનો મહિમા ગુમાવ્યો નથી.
3. નીચેના પ્રશ્નનો છ-સાત વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. આ કાવ્યમાં જોવા મળતો પ્રકૃતિપ્રેમ તમારા શબ્દોમાં લખો.
ઉત્તર:
“આભાર’ કાવ્યમાં કવિએ પ્રકૃતિપ્રેમ દર્શાવ્યો છે. માનવજાતે કુદરતથી મોં ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો મહિમા હજી ગુમાવ્યો નથી. હજી પણ ઘરમાં કબૂતર, હોલા, ચકલીઓ આવે છે; માળા બનાવવા તણખલાં લઈ આવે છે. રસોડામાં તેમનાં પીંછાં પણ ખરે છે. ભીંતની તિરાડમાંથી ઘાસ ઊગે છે. માટીએ તેનામાં હજી આદિકાળનાં મૂળ સાચવી રાખ્યાં છે; એટલે જ વાડે-છોડે પ્લાસ્ટિકનાં ફૂલો ઊઘડતાં નથી.