Hand Emojji Images Hello,Welcome to StudentBro.


Std 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે

Class 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે Textbook Questions and Answers

સ્વાધ્યાય

1, પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની () નિશાની કરી :
પ્રશ્ન 1. નવસર્જનની વાટે વિહરતા લોકો માટે નીચેનામાંથી કયું વિધાન બંધબેસતું છે?
(A)
પ્રગતિમાં માનતા નથી.
(B) તે હંમેશાં સૂતા રહે છે.
(C) પ્રગતિના પંથના પ્રવાસી છે.
(D) તે બેસી રહેનારા છે.
ઉત્તરઃ
(C) પ્રગતિના પંથના પ્રવાસી છે.

પ્રશ્ન 2. ધરતીને કવિએ કેવી કહી છે?
(A)
બેહૂદી
(B) કાળી
(C) કદરૂપી
(D) રંગીન
ઉત્તરઃ
(D) રંગીન

પ્રશ્ન 3. નવસર્જનની વાટે વિહરનાર વ્યક્તિના હૃદયમાં શું જોવા મળે છે?
(A)
આશા
(B) ઉલ્લાસ
(C) નિરાશા
(D) ઉપરનાં A અને B બંને.
ઉત્તરઃ
(D) ઉપરનાં A અને B બંને.

પ્રશ્ન 4. નવસર્જનની વાટે ચાલનારને નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી ?
(A)
જૂઠી કીર્તિના ભૂતને ભગાડવાની
(B) અજબ આશાનાં સ્વપ્ન સજાવવાની
(C) પૃથ્વી ઉપર નર્ક ઉતારવાની
(D) મોહમાયાના ફંદને ફગાવવાની
ઉત્તરઃ
(C) પૃથ્વી ઉપર નર્ક ઉતારવાની

2. બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. કવિ પૃથ્વી ઉપર સ્વર્ગ કઈ રીતે ઉતારવા માગે છે?
ઉત્તર :
કવિ નૂતન યુગના પ્રવાસી છે. તે અજબ આશાનાં સ્વપ્ન સજાવીને પૃથ્વી પર સ્વર્ગ ઉતારવા માગે છે.

3. નીચેના પ્રશ્નનો છ-સાત વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. નૂતન યુગના પ્રવાસી કેવા હોય?
ઉત્તરઃ
નૂતન યુગના પ્રવાસી નવસર્જનની વાટે વિહરતા હોય. 3 ફગાવ તેઓ પ્રગતિના પંથે હોય. તેમનામાં આશા અને ઉલ્લાસ હોય. તેમનામાં આળસ કે નિરાશા ના હોય. તેઓ મોહમાયાના ફંદમાં ફસાયા ના હોય. તેમનામાં જૂઠી કીર્તિનો મોહ ના હોય. તેઓ ઉત્તમ કાર્ય કરી પૃથ્વીને સ્વર્ગ જેવી સુંદર બનાવવાનું સ્વપ્ન સેવતા હોય.