Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય Textbook Questions and Answers
ભાષા જાય તો સંસ્કૃતિ જાય સ્વાધ્યાય
1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1. પિતાને ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરાને કઈ લાગણી થાય છે?
(A) દીકરો હરખાય છે.
(B) દીકરાને ગુસ્સો ચડે છે.
(C) દીકરો પણ ગુજરાતીમાં બોલવા લાગે છે.
(D) દીકરો પિતાને શાંતિથી સાંભળે છે.
ઉત્તરઃ
(B) દીકરાને ગુસ્સો ચડે છે.
પ્રશ્ન 2. ગુજરાતી ભાષા જવાથી લેખકને કયો ભય દેખાય છે?
(A) ભારતીય સંસ્કૃતિ જવાનો
(B) અંગ્રેજી ભાષા શીખવાનો
(C) અન્ય સંસ્કૃતિના તિરસ્કારનો
(D) કશો જ ભય દેખાતો નથી
ઉત્તરઃ
(A) ભારતીય સંસ્કૃતિ જવાનો
પ્રશ્ન 3. ગીતાજીનાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ગુજરાતીમાં બોલતી વખતે શો અનુભવ થાય એમ લેખક કહે છે?
(A) કશો જ અનુભવ થતો નથી.
(B) દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્ત્વિકતાનો અનુભવ થાય છે.
(C) અશાંતિ અનુભવાય છે.
(D) કશી જ સમજ પડતી નથી.
ઉત્તરઃ
(B) દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્ત્વિકતાનો અનુભવ થાય છે.
પ્રશ્ન 4. ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના ‘અસત્યો માંહેથી’નો ઉલ્લેખ કયા પાઠમાં છે?
(A) વારસાગત
(B) છબિ ભીતરની
(C) ભાષા જાય તો સંસ્કૃતિ જાય
(D) સો ટચનું સોનું
ઉત્તરઃ
(C) ભાષા જાય તો સંસ્કૃતિ જાય
2. બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. વિદેશમાં ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટેના લેખકનાં સૂચનોની નોંધ કરો.
ઉત્તર :
ભાષા જાય તેની સાથે સંસ્કૃતિ પણ જાય. આથી વિદેશમાં આવો પણ ગુજરાતી ભાષા ટકાવી રાખવી ખૂબ જરૂરી છે. તે માટે લેખક પ્રાર્થન નીચેનાં સૂચનો કરે છે ઘરમાં નાનાં છોકરાંઓની જોડે જરૂર ગુજરાતી બોલો. સ્કૂલમાં એનો અભ્યાસ દાખલ કરાવી શકો તો કરાવો, એ ન બને તો સ્કૂલના અંગે સમય પછી સ્કૂલના મકાનમાં ગુજરાતી ભણાવો. દેશથી ગુજરાતી માસિકો મંગાવો. ગુજરાતીમાં પ્રવચનો ગોઠવો. ગુજરાતી ભજનો ગાઓ. આ રીતે ગુજરાતી ભાષાનું ગૌરવ જરૂર સાચવી શકાશે.
પ્રશ્ન 2. પરદેશ જવામાં લેખકને કયો ગેરલાભ દેખાય છે?
ઉત્તર :
પરદેશ જવામાં લેખકને મા-બાપનો વિયોગ, કામનો અતિરેક, ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીનાં જોખમ, સંસ્કૃતિનો હાસ વગેરે ગેરલાભ દેખાય છે. તે સાથે ભાષા અને સંસ્કૃતિ જશે તેનું નુકસાન દેખાય છે.
3. નીચેના પ્રશ્નોના છ-સાત વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. લંડન મુલાકાતના લેખકના અનુભવો વર્ણવો.
ઉત્તર :
લંડનની મુલાકાત દરમિયાન લેખકને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના કેટલાક કડવા અનુભવો થયા. લેખક એક ગુજરાતી વિશ્વ મિત્ર સાથે ગુજરાતીમાં વાત કરતા હતા ત્યારે દીકરાએ પોતાના બાપને છે. : કહ્યું: “ફાધરની સાથે શું કામ ગુજરાતીમાં બોલો છો? એમને અંગ્રેજી આવડે છે.” બીજા એક ઘરમાં મમ્મીએ ક્યાંક કાર્યક્રમમાં જવા સુંદર સાડી પહેરી. દીકરાએ મમ્મીને કહ્યું, “મમ્મી, સાડી ન પહેરે તો ન ચાલે? તું સાડી પહેરે એ મને બિલકુલ ગમતું નથી, જરા ડ્રેસ બદલી આવો ને…” ત્રીજા એક ઘરમાં બહેનોનું મિલન હતું. એની શરૂઆત પ્રાર્થનાથી કરવાની હતી. લેખકે “અસત્યો માંહેથી પ્રાર્થના બોલવા કહ્યું, પણ ઉપનિષદની એ વિશ્વવિખ્યાત પ્રાર્થના કોઈને મોઢે ન હતી.
પ્રશ્ન 2. ‘ભાષા જાય તો સંસ્કૃતિ જાય” આ વાક્યની સમજ આપો.
ઉત્તર :
ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી તો સંકળાયેલી રહેશે, છે કે એક જાય તો બીજી જાય. ભાષા સંસ્કૃતિ સાથે ઓતપ્રોત છે, વણાયેલી છે, એક થયેલી છે. આર્ય સંસ્કૃતિ આર્ય ભાષાઓમાં જ ટકે. ભાષા જાય એની સાથે એની આવડત જાય, એની સમજણ જાય. એનો ઉપયોગ જાય એની સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક જાય, વારસાગત સંસ્કૃતિ અને સંસ્કારો જાય. ગીતાજીનાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ગુજરાતીમાં બોલીએ ત્યારે દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્ત્વિક્તાનો અનુભવ વગેરે થાય છે, પરંતુ અંગ્રેજીમાં વાંચતાં એવો અનુભવ થતો નથી.