Hand Emojji Images Hello,Welcome to StudentBro.


Std 9 Gujarati Textbook Solutions Chapter 4 સિંહનું મૃત્યુ

Class 9 Gujarati Textbook Solutions Chapter 4 સિંહનું મૃત્યુ Textbook Questions and Answers

સિંહનું મૃત્યુ સ્વાધ્યાય

1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની () નિશાની કરો :
પ્રશ્ન 1. ‘સાવજ સીધો હાલ્યો ગ્યો હોત તો કાંય થવાનું નોતું” આ વાક્ય કોણ બોલે છે?
(A)
ગામલોકો
(B) ગોવિંદભાઈ
(C) એહમદ
(D) લેખક
ઉત્તરઃ
(C) એહમદ

પ્રશ્ન 2. સિંહનું માથું શાથી ફાટી ગયું ?
(A)
હીરણ નદીના પુલ પરથી નીચે પટકાવાથી
(B) ખટારાના વ્હીલમાં આવી જતાં
(C) દીવાલ પડવાથી
(D) ખેતરમાં પડવાથી
ઉત્તરઃ
(A) હીરણ નદીના પુલ પરથી નીચે પટકાવાથી

પ્રશ્ન 3. ડ્રાઇવરે પોતાના મિત્રને ફોન કર્યો. કારણ કે.
(A) ગાડીની બૅટરી ઊતરી ગઈ હતી.
(B) પુલ ઉપરથી સાવજને ચાલ્યો જતો જોયો હતો.
(C) રાત્રે વાળુ કરવાનું બાકી હતું.
(D) ડ્રાઇવરને ચા-પાણી પીવા હતા.
ઉત્તરઃ
(B) પુલ ઉપરથી સાવજને ચાલ્યો જતો જોયો હતો.

પ્રશ્ન 4. ‘સિંહનું મૃત્યુ’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
(A) નવલકથાખંડ
(B) નવલિકા
(C) નિબંધ
(D) નાટક

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. સિંહે પુલ ઉપરથી નીચે કૂદકો કેમ માર્યો?
ઉત્તરઃ
રાત્રિનો સમય હતો. પુલની બંને બાજુએથી વાહનો આવ્યાં. આંખો આંજી નાખતા પ્રકાશના શેરડા અને અવાજથી સિંહ કંટાળી ગયો અને પુલની દિવાલ કૂદીને અંધકાર બાજુ જવાના ઇરાદાએ છલાંગ મારી, પરંતુ નીચે હરણ નદીનો પથરાળ પટ હતો. તેથી ત્યાં પડતાં વેંત તેનું માથું ફાટી ગયું.

પ્રશ્ન 2. સાસણ અને આજુબાજુનાં ગામમાં બંધ શા માટે પાળ્યો હતો?
ઉત્તર :
સિંહના અકાળે થયેલા મૃત્યુના બનાવ વિશે જે કોઈએ જાયું એણે અરેરાટી વ્યક્ત કરી. સિંહ પ્રત્યેની આત્મીયતા હોવાને લીધે એના અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ અને આજુબાજુનાં ગામોમાં લોકોએ બંધ પાળ્યો હતો.

3. નીચેના પ્રશ્નોના છ-સાત વાક્યમાં ઉત્તર લખો : 
પ્રશ્ન 1. સિંહનું અકાળે મૃત્યુ કેવી રીતે થયું તે વિસ્તારથી વર્ણવો.
ઉત્તર :
રાત્રિના સાડા દસનો સમય હતો. સાસણમાં મેંદરડા તરફથી આવતા કોઈ વાહનના ડ્રાઇવરે વળાંક લેતાં જોયું કે પુલ ઉપર કોઈ મોટું પ્રાણી ચાલ્યું જાય છે. ડ્રાઇવરે ગાડી થોભાવી સાસણમાં રહેતા મિત્રને ફોન પર જાણ કરી. એવામાં પુલના સામે છેડેથી વાહન આવતું જોતાં, એણે પોતાના વાહનની હેડલાઈટ ચાલુ-બંધ કર્યા કરીને સામેથી આવતા વાહનને ચેતવ્યું. પરિણામે સામેથી આવતું વાહન જરા ધીમું થયું પણ તેના ડ્રાઇવરને હજી પુલ પર શું છે તે દેખાયું નહિ. મૂંઝવણથી ઘેરાયેલા ડ્રાઇવરે જોરદાર બ્રેક મારી. ચીં…ઈ…ઈ અવાજ કરીને વાહન પુલ વચ્ચે રોકાઈ ગયું.

બેઉ તરફથી આંખો આંજી નાખતા પ્રકાશના શેરડા અને અવાજથી કંટાળીને સિંહે પુલની પાળી કૂદી. તેને એમ કે પેલી તરફના અંધારા ખેતરમાં જવાશે ! પરંતુ અહીં તો નીચે હીરણ નદી હતી. સિંહ હીરણના પથરાળ પટ પર પડ્યો. પડતાં વેંત સિંહનું માથું ફાટી ગયું.
આમ, સિંહનું અકાળે મૃત્યુ થયું.

 

પ્રશ્ન 2. સિંહ પ્રત્યેનો ગીરના માણસોનો પ્રેમ તમારા શબ્દોમાં વ્યક્ત કરો.
ઉત્તર :
બેઉ તરફથી આવતાં વાહનોના પ્રકાશથી અંજવાઈ જઈને, અવાજથી કંટાળી જઈને સિંહે પુલની પાળી કૂદવા છલાંગ મારી અને સીધો હીરણ નદીના પથરાળ પટ પર પડ્યો. પડતાં વેંત સિંહનું માથું ફાટી ગયું.

ડ્રાઇવરોએ બૂમો પાડીને ઊંધતા ગામને જગાડ્યું. જે કોઈએ આ બનાવ વિશે જાણ્યું તેણે અરેરાટી વ્યક્ત કરી. વનખાતાના અધિકારીઓ, ડૉક્ટરો વગેરે આવી પહોંચ્યા. તેમણે પોસ્ટમોર્ટમ અને બીજી વિધિઓ પૂરી કરી. પછી સવારે સિંહના નશ્વર દેહને અવલ મંજિલે પહોંચાડ્યો.

તેના અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ ગામે બંધ પાળ્યો. ઉપરાંત, સાસણની આજુબાજુનાં દસેક ગામોએ બંધ પાળીને પોતાનો શોક દર્શાવ્યો, પ્રાણી માટેની આત્મીયતા વ્યક્ત કરી.