Class 9 Gujarati Textbook Solutions Chapter 3 જ્યાં જ્યાં વસે એક ગુજરાતી Textbook Questions and Answers
સ્વાધ્યાય
પ્રશ્ન. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1. સદાકાળ ગુજરાત ક્યાં જોવા મળે છે?
(A) જ્યાં એક પણ ગુજરાતી રહેતો નથી.
(B) જ્યાં અન્ય પ્રદેશના લોકો જ રહે છે.
(C) જ્યાં એક પણ ગુજરાતીએ વસવાટ કર્યો છે.
(D) જ્યાં માત્ર પરદેશીઓ જ વસે છે.
ઉત્તરઃ
(C) જ્યાં એક પણ ગુજરાતીએ વસવાટ કર્યો છે.
પ્રશ્ન 2. આ કાવ્યમાં ગુજરાતીઓ જંગલમાં મંગલ કેવી રીતે કરે છે?
(A) વૃક્ષો વાવીને
(B) નાચ-ગાન કરીને
(C) જંગલમાં વસવાટ કરીને
(D) મહેનત પ્રત્યેના પ્રેમના કારણે
ઉત્તરઃ
(D) મહેનત પ્રત્યેના પ્રેમના કારણે
પ્રશ્ન 3. કવિ આ ધરતીને કોની કહે છે?
(A) શ્રીકૃષ્ણની
(B) સ્વામી દયાનંદની
(C) દાદાભાઈ નવરોજીની
(D) ઉપરના A – B – C ત્રણેયની
ઉત્તરઃ
(D) ઉપરના A – B – C ત્રણેયની
પ્રશ્ન 4. કવિના હૃદયમાં શેનો વૈભવ રચાય છે?
(A) સ્નેહનો
(B) શૌર્યનો
(C) સત્યનો
(D) ઉપરના A – B – C ત્રણેયનો
ઉત્તરઃ
(D) ઉપરના A – B – C ત્રણેયનો
પ્રશ્ન 5. નીચેનામાંથી કયો શબ્દ ‘પ્રફુલ્લ’નો સમાનાર્થી છે?
(A) ઉદાસ
(B) આનંદ
(C) હતાશ
(D) નિરાશ
2. નીચેના પ્રશ્નનો બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.દેવોના ઉપવનસમી અમીરાત કોને પ્રાપ્ત થાય છે?
ઉત્તર :
જેના હૃદયમાં ગુજરાત વસેલું છે, તેને દેવોનો ઉપવન સમી અમીરાત પ્રાપ્ત થાય છે.
3. નીચેના પ્રશ્નનો પાંચ-છ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. આ કાવ્યના આધારે ગુજરાતીની વિશેષતા જણાવો.
ઉત્તર :
ગુજરાતીની વિશેષતા: ગુજરાતીઓ જગતના ખૂણે ખૂણે વસેલા છે, ત્યાં પણ ગુજરાત છે. તેઓ ગુજરાતી ભાષા તેમજ ગુજરાતની રીતભાત ભૂલ્યા નથી. તેઓ પોતાની મહેનતથી જંગલમાં પણ મંગલ કરે છે. તેઓ આ રીતે ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને જાળવી રાખે છે; તેનું જતન કરે છે. તેઓ તેને સ્નેહ, શૌર્ય અને સત્યથી સંચિત કરે છે.