Class 9 Gujarati Textbook Solutions Chapter 22 લઘુકાવ્યો Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો:
પ્રશ્ન 1. હાઇકુના આધારે સાચો વિકલ્પ શોધો.
(A) ચકલીના ગીતની ટૂંડા ઉપર અસર થઈ.
(B) ડું ગીત ગાઈ રહ્યું છે.
(C) ચકલી ગીત સાંભળી રહી છે.
(D) વૂડા ઉપરથી ચકલી ઊડી ગઈ છે.
ઉત્તર :
(A) ચકલીના ગીતની ટૂંડા ઉપર અસર થઈ.
પ્રશ્ન 2. ‘રાજઘાટ પર’ કાવ્યના કવિનું નામ …………………..
(A) રાવજી પટેલ
(B) હસમુખ પાઠક
(C) ગાંધીજી
(D) કલાપી
ઉત્તર :
B. હસમુખ પાઠક
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1. કવિ વીર કહીં કોને બિરદાવે છે?
ઉત્તર :
પ્રસિદ્ધિની ખેવના વિના દાન કરે છે, જે જીવનજંગમાં એકલા હાથે ઝઝૂમે છે અને જે એકલો લોકોની નિંદાનો સામનો કરે છે, તે ધન્યવાદને પાત્ર છે. કવિ તેને વીર કહી બિરદાવે છે.
પ્રશ્ન 2. ‘રાજઘાટ પર’માં ગાંધીજીનો જીવનસંદેશ કયાં પ્રતીકોથી વર્ણવ્યો છે?
ઉત્તર :
“રાજઘાટ પર’ મુક્તકમાં ગાંધીજીનો જીવનસંદેશ ગાંધીજીની સમાધિને ફૂલોથી ઢાંકી તેમને સુવડાવ્યા છે, તે પ્રતીકોથી લંગરૂપે વર્ણવ્યો છે.
પ્રશ્ન 3. મુક્તકમાં ગીત ગાતી ચકલીનું શબ્દચિત્ર કેવી રીતે આલેખાયું છે?
ઉત્તર :
ગીત સાંભળી ડૂડું ડોલ્યું અને તેના ઉપર ચકલી બેઠી. સમગ્ર વાતાવરણ મધુર બની ગયું.