Hand Emojji Images Hello,Welcome to StudentBro.


Std 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય

Class 9 Gujarati Textbook Solutions Chapter 2 પરોપકારી મનુષ્ય Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (4) નિશાની કરો :
પ્રશ્ન
1. આંજણી મટાડવા ડૉક્ટરે સલાહ આપી કે ……………………………….

(A) હું સિંદૂર લગાડીને મટાડીશ.
(B) હું ચંદન લગાડીને ફોડીશ.
(C) આંજણી પાકી જાય એટલે હું નસ્તરથી ફોડીશ.
(D) તુવેરની દાળ લગાડો.
ઉત્તર :
(C) આંજણી પાકી જાય એટલે હું નસ્તરથી ફોડીશ.

પ્રશ્ન 2. લેખકને શીરો ખાવાની સલાહ કોણે આપી?
(A)
વિધવા ફોઈએ
(B) ટપાલીએ
(C) પારસી દોસ્તદારે
(D) મારવાડીએ
ઉત્તર :
(A) વિધવા ફોઈએ

પ્રશ્ન 3. ગાંધી-વૈદ્યનું સહિયારું એટલે …………………………………………
(A) કોઈને પણ છેતરવા નહિ,
(B)
સ્વાર્થ માટે બે વ્યક્તિનું ભેગા થવું.
(C) અહીં ગાંધીજીની વાત છે.
(D) ગાંધીવૈદ્ય એટલે ગાંધીવાદ,
ઉત્તર :
(B) સ્વાર્થ માટે બે વ્યક્તિનું ભેગા થવું.

પ્રશ્ન 4. આંજણી મટાડવા ટપાલીએ સલાહ આપી કે.
(A) સિંદૂર લગાડો
(B) ચંદન લગાડો
(C) ઠંડી દવા લગાડવી
(D) તુવેરની દાળ ગરમ કરીને લગાડવી
ઉત્તર :
(D) તુવેરની દાળ ગરમ કરીને લગાડવી

 

2. કારણ આપો : 
પ્રશ્ન 1. ફોઈનો ઉપાય લેખકને વધારે ગમ્યો, કારણ કે ……………………………..
ઉત્તર :
લેખકનાં વિધવા ફોઈએ લેખકને ઘી, ખાંડ, લોટનો શીરો બનાવીને ખાવાનો ઉપાય બતાવ્યો. ફોઈનું લાલ ચણોઠી જેવું શરીર જોતાં તેમને એ ઉપાયનું વાસ્તવિકપણે સમજાયું; તેથી તેમને એ ઉપાય વધારે ગમ્યો.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન
1. લેખકને આંજણી મટાડવા તેમના કુટુંબના મિત્રએ શું કહ્યું?

ઉત્તર :
લેખકને આંજણી મટાડવા તેમના કુટુંબના મિત્રએ કહ્યું કે દવા પીધે કંઈ થાય નહિ. તુવેરની દાળ ઘસીને ચોપડી દો એટલે આંજણી નરમ પડી જશે.

પ્રશ્ન 2. લેખકને આંજણી મટાડવા જૂના મુનીમ ને હજામે કયો ઉપાય બતાવ્યો?
ઉત્તર :
લેખકને આંજણી મટાડવા માટે જૂના મુનીમે કેસર ઘોળીને આંજણી ઉપર ચોપડવા કહ્યું. એ જ એનો રામબાણ ઇલાજ છે. હજામે સિંદૂર મંગાવી આંજણી પર દબાઈ દેવાનો ઉપાય બતાવ્યો.

4. નીચેના પ્રશ્નોના પાંચ-છ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. લેખકને આંજણી મટાડવા ચશ્માંવાળાએ શી સલાહ આપી?
ઉત્તરઃ
લેખકને આંજણી થઈ હતી. તે બજારમાંથી આવતા હતા ત્યાં પાડોશની ચશ્માંની દુકાનના માલિકે એમને દીઠા. તે લેખક પાસે આવ્યા અને કહ્યું, “ભાઈસાહેબ, મારું કહ્યું માનો તો આ તમને આંજણી થઈ છે તે માટે એક ઝાંખાં “ગોગલ્સ’ લઈ જાઓ. હું મારા સ્વાર્થ માટે નથી કહેતો. ખપ થઈ રહે એટલે એ જોડ પાછી મોકલાવજો.”

આમ, લેખકને આંજણી મટાડવા ચશ્માંવાળાએ ઝાંખાં ગોગલ્સ પહેરવાની સલાહ આપી.

પ્રશ્ન 2.પરોપકારી મનુષ્યોની સલાહનાં પરિણામ વિશે લખો.
ઉત્તર :
સમાજમાં ઘણા પરોપકારી મનુષ્યો હોય છે. તેઓને કોઈને પણ વણમાગી સલાહ આપવાની આદત હોય છે. તેમની આ આદતથી સલાહ લેનાર વ્યક્તિને ફાયદો થવાને બદલે ઘણી વાર મોટું નુકસાન થતું હોય છે, કારણ કે સલાહ આપનારને જે-તે વિષયનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. લેખકે આંજણી મટાડવા લોકોના વણમાગેલા ઉપાય અજમાવ્યા. પરિણામે તેમનું દર્દ વધી ગયું. છેવટે નસ્તર મુકાવવું પડ્યું.

વણમાગી સલાહ સ્વીકારવાને બદલે આપણે જે-તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.