Class 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1. કબૂતરો બેઘર બન્યાં છે, કારણ કે…
(A) જૂનાં દેશી નળિયાવાળાં ઘર તૂટ્યાં છે.
(B) ધાબાવાળાં મકાનો તૂટ્યાં છે.
(C) નવા કૂવા બનતા નથી.
(D) નવાં મકાનો તૂટ્યાં છે.
ઉત્તરઃ
(A) જૂનાં દેશી નળિયાવાળાં ઘર તૂટ્યાં છે.
પ્રશ્ન 2. ફળિયાં હવે પંખીઓથી છલકાતાં કેમ નથી ?
(A) ચણ નાખનારા વૃદ્ધ વડીલો રહ્યા નથી.
(B) ફળિયામાં હવે ફટાકડા ફૂટે છે.
(C) પંખીઓ પરદેશ ચાલ્યાં ગયાં છે.
(D) કર્કશ અવાજ કરનારાં મશીનો આવી ગયા છે.
ઉત્તરઃ
(A) ચણ નાખનારા વૃદ્ધ વડીલો રહ્યા નથી.
પ્રશ્ન 3. વતી તી… વતી તી રટતી ટીંટોડીઓ આપણને શો સંદેશ આપે છે?
(A) હવે ગમતી નથી.
(B) અકળાવે છે.
(C) મૃત્યનો સંદેશો આપે છે.
(D) જીવતરની આશા બંધાવે છે.
ઉત્તરઃ
(D) જીવતરની આશા બંધાવે છે.
પ્રશ્ન 4. ‘સારસ’ માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી ?
(A) તે હંમેશાં યુગલરૂપે જ રહે છે.
(B) લેખકને તો એ ઊડતાં વિમાનો લાગે છે.
(C) મધુર રણકદાર અવાજ રાત્રિના પ્રહરે પ્રહરે સંભળાવે છે.
(D) જમીનને વણખેલ્વે પોચી રાખે છે.
ઉત્તરઃ
(D) જમીનને વણખેલ્વે પોચી રાખે છે.
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1. પંખીઓનું પર્યાવરણ કેમ જોખમાયું છે ?
ઉત્તરઃ
વિલાયતી ખાતરો અને વિલાયતી દવાઓ ખેતરમાં વપરાવા માંડ્યા તેને કારણે જીવજંતુ ઘટવા માંડ્યાં અને પક્ષીઓનું પર્યાવરણ જોખમાયું છે.
પ્રશ્ન 2. ગામ કેમ હવે સૂનમૂન લાગે છે ?
ઉત્તર :
‘ધાબાવાળા’ પાકાં મકાનો થયાં, વૃક્ષો કપાયાં, ચબૂતરા તૂટ્યા, ચણ નાખનારા વૃદ્ધ વડીલો ગયા એટલે ફળિયાં હવે પંખીઓથી છલકાતાં નથી. એટલે ગામ હવે સૂનમૂન લાગે છે.
3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો:
પ્રશ્ન 1. જુદાં જુદાં પક્ષીઓની વિશેષતા તમારા શબ્દોમાં લખો
ઉત્તરઃ
આપણી આસપાસ જાતજાતનાં પક્ષીઓ જોવા મળે છે. ચકલીઓ અને કાબરોનો કલબલાટ આપણને વહેલી સવારે જગાડે છે. પારેવાં ઘૂઘુ કરી મૂકે છે. વૃક્ષની કુંજમાં કોયલ પોતાના મધુર સ્વરથી આપણને પ્રફુલ્લિત કરે છે. ચબૂતરે જાતજાતનાં પક્ષીઓ આવીને સંપથી દાણા ચણે છે. વરસાદના આગમન સાથે મોરના ટહુકા સંભળાય છે અને તેને કળા કરી નાચતો જોવાનો આનંદ મળે છે. કાગડા તેમના કાગારોળ માટે જાણીતા છે. ટીંટોડીઓ તેમનાં વક્તી તી વક્તી તી’ સૂર માટે જાણીતી છે. તેતર જરાક અવાજ થતા “ફરુક’ કરતાં ઊડી જાય છે. વનલાવરી એનાં પીછાં પરનાં ટપકાં માટે જાણીતી છે. સારસબેલડી તેમના એકબીજા પ્રત્યેના પ્રેમ માટે જાણીતી છે. ગીધ-સમડીને ઊંચે આકાશમાં સ્થિર ગતિએ ઊડતાં જોવાની મજા છે. ઘુવડ તેના ડરામણા ચહેરા અને અવાજ માટે જાણીતું છે. બુલબુલ પણ તેના મધુર કંઠ માટે જાણીતું છે. આમ, દરેક પક્ષીની પોતાની આગવી વિશેષતા છે.
પ્રશ્ન 2. પક્ષીઓની સંભાળ તમે કઈ રીતે લેશો? પાઠના આધારે સમજાવો.
ઉત્તર :
“ધાબાવાળાં પાકાં મકાનો થયાં, વૃક્ષો કપાયાં, ચબૂતરા નષ્ટ થયા, તળાવો સુકાયાં અને જંગલો ઘટ્યાં. આ બધાંની પક્ષીજગત પર માઠી અસર થઈ છે. શહેરોનાં કૉક્રીટનાં જંગલોમાં હવે ચકલી જોવા મળતી નથી. પક્ષીઓની સંખ્યા વધે તે માટે આપણે ઠેર ઠેર ? ઘટાદાર વૃક્ષો ઊગાડવાં જોઈએ. પક્ષીઓને ચણ અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તળાવો મોટાં થાય અને તેમાં બારેમાસ પાણી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આપણા ઘરઆંગણે પણ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.