Class 9 Gujarati Textbook Solutions Chapter 18 દીકરીની વિદાય Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1. “હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું એટલે કોણ ?”
(A) પ્રકાશ
(B) ઘરનું અજવાળું
(C) દીકરી
(D) દીકરો
ઉત્તરઃ
(C) દીકરી
પ્રશ્ન 2. નીચેનામાંથી કયું રૂપક દીકરીને લાગુ પડતું નથી?
(A) ઘરની અમીરાત
(B) ઘરનું અજવાળું
(C) ગોખનો દીવો
(D) ફાનસ
ઉત્તરઃ
(D) ફાનસ
પ્રશ્ન 3. દીકરી જતાં સૌની આંખો કેવી થઈ ગઈ?
(A) કોરી પડી ગઈ
(B) ભીંજાઈ ગઈ
(C) લાલ થઈ ગઈ
(D) ફાટી રહી
ઉત્તરઃ
(B) ભીંજાઈ ગઈ.
પ્રશ્ન 4. દીકરી ક્યાં જઈ રહી છે?
(A) ફરવા
(B) પ્રવાસમાં
(C) પિયરમાં
(D) સાસરે
ઉત્તરઃ
(D) સાસરે
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1. રંગોળીમાં પહેલાં જેવી ભાત હવે કેમ નહિ પડે?
ઉત્તરઃ
રંગોળીમાં પહેલાં જેવી ભાત હવે નહિ પડે, કારણ કે ઘરની મિરાત (દીકરી) દૂર દૂર ચાલી ગઈ છે.
પ્રશ્ન 2. દીકરીને ઘરનું અજવાળું કેમ કહેવામાં આવે છે?
ઉત્તરઃ
દીકરીને ઘરનું અજવાળું કહેવામાં આવ્યું છે, કારણ કે દીકરીએ ઘરને હૂંફાળું રાખ્યું છે.
3. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો:
પ્રશ્ન 1.દીકરી વિદાયની વેદના કાવ્યના આધારે વર્ણવો.
ઉત્તરઃ
દીકરીની વિદાયના કારણે ઘરમાં અને શેરીમાં ખાલીપો ઊભો થયો છે; કારણ કે દીકરીએ એના સ્નેહથી ઘર અને શેરીને હૂંફથી જોડવાનું કાર્ય કર્યું હતું. એના જવાથી સ્વજનો વ્યથિત છે. દીકરીનાં સંસ્મરણો તાજાં થાય છે. એમને એવું લાગે છે કે જાણે ગોખેથી દીવો ચાલી ગયો. હવે આંગણામાં પહેલાં જેવી રંગોળીની ભાત પડશે નહિ. ઘરની મિરાંત ચાલી ગઈ છે, ઘરનું અજવાળું ચાલ્યું ગયું છે.