Class 9 Gujarati Textbook Solutions Chapter 17 છબી ભીતરની Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1. હૉટલવાળો લેખકને કયા કારણે ગાંધીજી માનવા લાગ્યો?
(A) લેખકનો દેખાવ ગાંધી ફિલ્મના હીરો જેવો હતો.
(B) લેખક ભારતથી આવી રહ્યા હતા.
(C) લેખક પાસે ગાંધીજીનો ફોટોગ્રાફ હતો.
(D) લેખકે ગાંધીજીની વેશભૂષા ધારણ કરી હતી.
ઉત્તરઃ
(A) લેખકનો દેખાવ ગાંધી ફિલ્મના હીરો જેવો હતો.
પ્રશ્ન 2.લેખકના ટેબલની આસપાસ પિરસણિયાઓનો મેળો શા માટે જામ્યો હતો?
(A) તે ટેબલનું બુકિંગ થઈ ગયું હતું.
(B) પિરસણિયા આપસમાં ઝઘડ્યા હતા.
(C) લેખક ગાંધીજી જેવા લાગતા હતા એટલે તેમની સેવા કરવા માટે.
(D) તે અશ્વિન મહેતાથી પરિચિત હતા.
ઉત્તરઃ
(C) લેખક ગાંધીજી જેવા લાગતા હતા એટલે તેમની સેવા કરવા માટે.
પ્રશ્ન 3. આઠમા ઍવન્યૂના નાકા પાસે એક હબસી – અમેરિકન શું વેચી રહ્યો હતો?
(A) મુખવાસ અને પાન-મસાલા
(B) ગાંધીજીના ફોટોગ્રાફ્સ
(C) કૅમેરા-બૅગ
(D) જૂનાં અપ્રાપ્ય પુસ્તકો અને સામયિકો
ઉત્તરઃ
(D) જૂનાં અપ્રાપ્ય પુસ્તકો અને સામયિકો
પ્રશ્ન 4. ‘ગાંધી’ ફિલ્મમાં હીરોનું પાત્ર કોણે ભજવ્યું હતું?
(A) બેન કિંગ્સલેએ
(B) અશ્વિન મહેતાએ
(C) અમિતાભ બચ્ચને
(D) શાહરૂખ ખાને
ઉત્તરઃ
(A) બેન કિંગ્સલેએ
2. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. ન્યૂયૉર્કમાં લેખકને એક હબસીએ શા માટે મદદ કરી?
ઉત્તર :
ન્યૂ યૉર્કમાં એક હબસી જૂનાં અપ્રાપ્ય પુસ્તકો અને સામયિકો ફૂટપાથ પર વેચતો હતો. ફોટાના સંયોજન (કંપોઝિશન) માટે એનું અમુક જગ્યાએ ઊભા રહેવું જરૂરી હતું. લેખકની મૂંઝવણ સમજીને તે હબસી તેમને મદદ કરવા તૈયાર થયો, કારણ કે તે ગાંધીજીનો પ્રશંસક હતો અને લેખક “ગાંધી’ ફિલ્મના હીરો બેન કિંગ્સલી જેવા દેખાતા હતા.
પ્રશ્ન 2. ન્યૂયૉર્કની હૉટલના પિરસણિયાએ લેખક પાસે હસ્તાક્ષર કેમ માગ્યા?
ઉત્તર :
ન્યૂ યૉર્કની હોટલના પિરસણિયાએ લેખક પાસે હસ્તાક્ષર માગ્યા, કારણ કે તે ગાંધીજીનો પ્રશંસક હતો અને લેખક ‘ગાંધી’ ફિલ્મના હીરો બેન કિંગ્સલી જેવા દેખાતા હતા. પિરસણિયો તેમની સેવા કરવા માગતો હતો.
પ્રશ્ન 3. યજમાન ખેડૂતની ઘરડી માએ લેખકને કેવી રીતે વિદાય આપી?
ઉત્તરઃ
યજમાન ખેડૂતની ઘરડી માએ લેખકનાં બધાં ખિસ્સાં જરદાલુથી ઠસોક્સ ભરી દીધાં, પછી કપાળે ચાંલ્લો કર્યો, ચોખા ચોડ્યા ને લમણે ટાચકા ફોડીને તેમનાં ઓવારણાં લીધાં. વળી હુકમસિંહને હું કહ્યું કે, “રાત્રે કોઈ ડાઘિયાને લેખકની પડખે સુવાડે.’ આ રીતે ઘરડી 3 માએ લેખકને વિદાય આપી.
3. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :
પ્રશ્ન 1. પરદેશના લોકોનો ગાંધીજી પ્રત્યેનો પ્રેમ તમારા શબ્દોમાં લખો.
ઉત્તરઃ
ગાંધીજીએ સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવી દેશને આઝાદ કર્યો. ગાંધીજી વિશ્વમાનવ હતા. તેમના આદર્શ વિચારો અને તે પ્રમાણેના આચારોને કારણે તે વિશ્વમાં લોકપ્રિય છે. એટનબરો દ્વારા તૈયાર થયેલી હિન્દી-અંગ્રેજી ફિલ્મ ભાગ્યે જ કોઈએ જોઈ નહીં હોય. તેમાંના વિચારોની કેવી અસર છે તે આ પાઠમાં લેખકને થયેલા અનુભવોના વર્ણનમાં પ્રદર્શિત થાય છે. લેખક અશ્વિન મહેતા “ગાંધી ફિલ્મના હીરો બેન કિંગ્સલી જેવા દેખાય છે એટલે પરદેશમાં એ જ્યાં જાય છે ત્યાં એમનું સન્માન થાય છે. આ પ્રસંગોમાં જુદા જુદા દેશના લોકોનો ગાંધીપ્રેમ જોવા મળે છે.