Hand Emojji Images Hello,Welcome to StudentBro.


Std 9 Gujarati Textbook Solutions Chapter 16 ગોકુળમાં આવો તો

Class 9 Gujarati Textbook Solutions Chapter 16 ગોકુળમાં આવો તો Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની () નિશાની કરો :
પ્રશ્ન 1. શ્રીકૃષ્ણને ગોકુળમાં કોને મુખ બતાવવાની ના પાડી છે?
(A)
ગાયોને
(B) રાધાને
(C) શ્યામને
(D) ગોકુળવાસીઓને
ઉત્તરઃ
(B) રાધાને

પ્રશ્ન 2. સમરાંગણમાં શ્રીકૃષણ કઈ રીતે સફળ થશે?
(A)
હાથમાં હથિયાર લીધા વિના
(B) હાથમાં હથિયાર લઈને
(C) મિત્રોનો સાથ લઈને
(D) સુદર્શન ચક્ર ચલાવીને
ઉત્તરઃ
(A) હાથમાં હથિયાર લીધા વિના

પ્રશ્ન 3. ગાયોનું ધણ લઈને શ્રીકૃષ્ણ જ્યાં જશે?
(A)
ગંગાના કાંઠે
(B) ગોવર્ધન પર્વત ઉપર
(C) યુદ્ધના મેદાનમાં
(D) જમનાને કાંઠે
ઉત્તરઃ
(B) ગોવર્ધન પર્વત ઉપર

પ્રશ્ન 4. આ કાવ્યમાં કોણ કોને પત્ર લખી રહ્યું છે?
(A)
સુદામા, શ્રીકૃષ્ણને
(B) દ્વારકાવાસીઓ શ્રીકૃષ્ણને
(C) રાધા, શ્યામને
(D) ગોકુળવાસીઓ રાધાને
ઉત્તરઃ
(C) રાધા, શ્યામને

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. રાધા શ્યામને દુ:ખ ન લગાડવાનું શા માટે કહે છે?
ઉત્તરઃ
રાધા શ્યામને દુઃખ ન લગાડવાનું કહીને પોતાને કેવું માઠું લાગ્યું છે તે વાત યાદ કરાવવા માગે છે.

પ્રશ્ન 2. રાધાની રીસને તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર :
આ કાવ્યમાં રાધા કૃષ્ણને કહે છે કે તમે ગોકુળમાં આવો તો રાધાને મુખ ના બતાવશો, ગોવર્ધન પર્વત ભલે જાઓ પણ જમુનાને કાંઠે ના આવશો. તાંદુલની પોટલીને અડવા કોઈ તેમની પાછળ દોડશે નહિ. આમાં રાધાની રીસ જોવા મળે છે.

3. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :
ગોકુળમાં આવો તો’ કૃતિમાં રાધા કૃષણને અંતરમાં ઓછું ન લાવવાની વાત કેમ કરે છે?

ઉત્તર :
ગોકુળમાં આવો તો’ કૃતિમાં રાધાએ કૃષ્ણને કદમ્બના પાંદડા ઉપર પત્ર લખ્યો છે તે છે. કૃષ્ણ ગોકુળ છોડી ગયા છે તેનું રાધાને દુઃખ છે. તેને તે માટે માઠું લાગ્યું છે. એટલે પત્રમાં લખે છે કે તમે ભલે ગોકુળ આવો, પણ રાધાને મુખ ના બતાવશો. તમે ગાયોનું ધણ લઈને ભલે ગોવર્ધન જાઓ, પણ જમુનાને કાંઠે ના આવશો. તમે ભલે તાંદુલની પોટલી લઈને આવો, પણ હવે તાંદુલને અડવા કોઈ દોડશે નહિ. વિરહની વેદના છે તે તમે કોઈ રીતે દૂર કરી શકો તેમ નથી. એટલે જ રાધા કૃષ્ણને આ પત્રથી અંતરમાં ઓછું ન લાવવાની વાત કરે છે.