Class 9 Gujarati Textbook Solutions Chapter 15 સો ટચનું સોનું Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1. કુતમ્માની દૃષ્ટિએ સો ટચનું સોનું એટલે…
(A) હૉલમાર્કવાળું સોનું
(B) ભણતર
(C) શુદ્ધ સોનું
(D) ચાંદી
ઉત્તર :
(B) ભણતર
પ્રશ્ન 2. સુધા મૂર્તિની દૃષ્ટિએ અતિથિ દેવો ભવની ભાવના જોવા
(A) શહેરોમાં જવું પડે
(B) ગામડાંઓમાં જવું પડે
(C) વગડામાં રહેવું પડે
(D) મહાનગરોમાં જવું પડે
ઉત્તર :
(B) ગામડાંઓમાં જવું પડે
પ્રશ્ન 3. કુતમ્માના અંતરાત્માનો સાદ હતો કે.
(A) તું બાકીનું જીવન શહેરમાં જ વિતાવી દે.
(B) તું જંગલમાં સંન્યાસિની બની જા.
(C) તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર.
(D) તારે કશું જ કરવાની જરૂર નથી.
ઉત્તર :
(C) તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર.
પ્રશ્ન 4. એક ગણેલી સ્ત્રી
(A) અભિમાની બને
(B) શણગાર સજે
(C) બધા પર રોફ જમાવે
(D) આખા ગામને દિપાવે
ઉત્તર :
(D) આખા ગામને દિપાવે
પ્રશ્ન 5. ઐયપ્પાનું પાત્ર કઈ કૃતિનું છે?
(A) પ્રાણીઓનું ગોકુળ
(B) સો ટચનું સોનું
(C) સોયનું નાકું
(D) સિંહનું મૃત્યુ
ઉત્તર :
(B) સો ટચનું સોનું
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1. કુતમ્માએ દાગીના ઘડાવવાની ના પાડી દીધી, કારણ કે.
ઉત્તરઃ
કુતમ્માએ દાગીના ઘડાવવાની ના પાડી દીધી, કારણ કે તે ભણતરને જ સો ટચનું સોનું – ઘરેણું માનતાં હતાં. તે પોતાના વિસ્તારનાં છોકરાં ઘેર રહીને ભણી શકે તેવું કાંઈ કરવા ઇચ્છતાં હતાં.
પ્રશ્ન 2. લેખિકા સાથે વાત કરતા કુતમ્માના ગળે ડૂમો બાઝયો કારણ કે.
ઉત્તરઃ
લેખિકા સાથે વાત કરતાં કુતમ્માના ગળે ડૂમો બાઝયો, કારણ કે તેમની સમક્ષ તેમના પતિનું અવસાન આવ્યું. વળી તેમણે આપેલું વચન “એક ભવમાં બે ભવ નહિ કરું. ગગાને ભણાવીશ ને પગભર થાય એવો તૈયાર કરીશ.” યાદ આવ્યું.
પ્રશ્ન 3. ઐયપ્પા મુંબઈ જઈ કેવી રીતે ભણ્યા?
ઉત્તરઃ
ઐયપ્પા હોટલમાં કપ-રકાબી વીંછળતો. પછી તેને શેઠે ચાયપાઉ તરીકે આજુબાજુની ઑફિસોમાં કીટલી ફેરવતો કરી દીધો. બક્ષિસ અને પગારની રકમ ભેગી કરીને રાત્રે “મોંઘા વીરા’ની રાત્રિશાળામાં ભણવાનું ચાલું રાખ્યું. મૅટ્રિક પાસ થયા પછી રાતની કૉલેજમાં ભણ્યો.
3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો:
પ્રશ્ન 1. ઐયપ્પાના જીવનની ચડતી વર્ણવો.
ઉત્તરઃ
ઐયપ્પાનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. તે પાંચ વર્ષના થયા ત્યારે તેમના પિતાનું ઝેરી સાપ કરડવાથી અવસાન થયું હતું. તે હોશિયાર હતા. બાર વર્ષની ઉંમરે મુંબઈ ગયા અને હોટલમાં કપ-રકાબી વીંછળવાની નોકરી કરવા લાગ્યા. પછી ચાયપાઉ તરીકે આજુબાજુની ઑફિસોમાં કીટલી ફેરવવા લાગ્યા. બક્ષિસ અને પગારની રકમ ભેગી કરીને રાત્રે મોંઘા વીરા’ની રાત્રિશાળામાં ભણવાનું ચાલુ રાખ્યું. ત્યાંથી સારા ટકા મેળવી મૅટ્રિક પાસ થયા. હોટલના માલિકે એમને ક્લાર્ક તરીકે રાખ્યા. એમણે રાતની કૉલેજમાં નામ લખાવ્યું. કૉલેજ પતાવીને મુંબઈમાં હોટલ ચાલુ કરી. બાર વર્ષ એક જ હોટલમાં કામ કરીને બધો હુન્નર શીખી લીધો. પછી તો તે અનેક હોટલોના માલિક બન્યા.
માતાના કહેવાથી દીકરાને બધું સોંપીને પંચાવન વર્ષની ઉંમરે તેઓએ વતનમાં પાછા આવીને અનેક શાળાઓ બંધાવી.
પ્રશ્ન 2. કુતમ્માનું પાત્રાલેખન કરો.
ઉત્તર :
કુતમ્મા બહુ ગરીબ હતાં. નાનપણથી જ એ મજૂરીએ જતાં. તેમનાં લગ્ન પણ નાની ઉંમરે જ થયાં અને દીકરો તેમની નાની ઉંમરે જ જન્મ્યો. દીકરાને સારું ભણતર આપવા તેમણે કુટુંબનિયોજન અપનાવ્યું. દીકરો પાંચ વર્ષનો થયો ત્યારે કુતમ્માના પતિ ઝેરી સાપ કરડવાથી અવસાન પામ્યા. તેમણે તેમના પતિને વચન આપ્યું કે, “એક ભવમાં બે ભવ નહિ કરું. ગગાને ભણાવીશ અને પગભર થાય એવો તૈયાર કરીશ.” આમાં એમની હિંમત અને દઢ મનોબળનાં દર્શન થાય છે. દીકરો પગભર થયો અને અનેક હોટલોનો માલિક બન્યો. કુતમ્માએ દીકરાને કહ્યું, “મારો અંતર આતમા સાદ કર્યા કરે છે. તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર, તો આ જનમારો લેખે લાગે.” માની વાત દીકરાને ગળે ઊતરી ગઈ. તે વતનમાં પાછા આવ્યા અને અનેક નિશાળો બંધાવી. દીકરાએ કુતમ્માને ઘરેણાં ઘડાવવા કહ્યું ત્યારે તેમણે દીકરાને કહ્યું, “બેટા, સો ટચનું સોનું – ઘરેણું તો એક જ છે : ભણતર.” આમ, કુતમ્મા ભણેલાં ન હતાં પણ ગણેલાં હતાં. તે એક આદર્શ ગૃહિણી તેમજ આદર્શ માતા હતાં.