Class 9 Gujarati Textbook Solutions Chapter 14 મારું તારું! Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1. હસવું-રમવું કવિને કેવું લાગે છે?
(A) ખારું
(B) મીઠું
(C) કડવું
(D) ખરાબ
ઉત્તરઃ
(B) મીઠું
પ્રશ્ન 2. ઇટ્ટાકિટ્ટા કેટલો સમય ચાલે છે?
(A) એક ઘડી માટે
(B) વર્ષ માટે
(C) આખો દિવસ
(D) વર્ષોવર્ષ
ઉત્તરઃ
(A) એક ઘડી માટે
પ્રશ્ન 3. કવિ મારા-તારાના બદલે શું કરવા માગે છે?
(A) પારકું
(B) પરાયું
(C) સહિયારું
(D) પોતાનું
ઉત્તરઃ
(C) સહિયારું
પ્રશ્ન 4. કવિ વારંવાર હારવા માગે છે કારણ કે.
(A) બીજાને દુઃખી કરવા માટે
(B) બીજાને ન્યાય આપવા માટે
(C) બીજાને અન્યાય કરવા માટે
(D) બીજાને ખુશી આપવા માટે
ઉત્તરઃ
(D) બીજાને ખુશી આપવા માટે
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. કવિ શા માટે અબોલા કરતા નથી?
ઉત્તરઃ
કવિ ગીતો લલકારી જીવનને આનંદમય બનાવવા માગે છે. તે ગીત ગાય અને બીજા ઝીલે. તેથી તે અબોલા કરતા નથી.
પ્રશ્ન 2. કવિ પોતાની હાર પર પણ કેમ ખુશ થાય છે?
ઉત્તર:
કવિ જીવનને આનંદમય બનાવવા ઇચ્છે છે. તેથી તેના હારવાથી સામેની વ્યક્તિને જીતની ખુશી મળતી હોય, તો તે પોતાની હાર પર પણ ખુશ થાય છે.
પ્રશ્ન 3. મારું-તારું કાવ્યમાં સહિયારાપણાની ભાવના દ્વારા કવિ શું પ્રગટાવવા માગે છે?
ઉત્તર :
“મારું તારું !’ કાવ્યમાં સહિયારાપણાની ભાવના દ્વારા કવિ જીવનમાં ખુશીઓ અને આનંદ પ્રગટાવવા માગે છે.
3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :
પ્રશ્ન 1. કવિ મારા-તારાનો ભેદભાવ ટાળવા કયો માર્ગ બતાવે છે?
ઉત્તર:
કવિ મારા-તારાનો ભેદભાવ ટાળવા માટે સહિયારાનો માર્ગ બતાવે છે. સામી વ્યક્તિને આનંદ આપવો એ મહત્ત્વનું છે. સામી વ્યક્તિ જીતે ને ખુશ થતી હોય, તો હારવામાં પણ મજા છે. ઇટ્ટાકિટ્ટા પણ કાયમી ના હોય. હળીમળીને હસીએ-રમીએ. ગીત ગાવાનો આનંદ માણીએ. રમકડું રમવાની મોજ માણીએ. તેમાં મારાતારાનો ભેદ ન રાખીએ.
પ્રશ્ન 2. આનંદથી જીવન જીવવા માટે કવિ શું કરવાનું કહે છે?
ઉત્તર :
આનંદથી જીવન જીવવા માટે કવિ મારા-તારાનો ભેદ ભૂલી જવાનું કહે છે. સામી વ્યક્તિના આનંદમાં જ આપણો આનંદ સમાયેલો છે. રમકડું કોનું છે તે મહત્ત્વનું નથી. રમકડું રમવાનો આનંદ મહત્ત્વનો છે. ગીત ગાવાનો-ઝીલવાનો આનંદ મહત્ત્વનો છે. આપણે હસીએ-રમીએ અને આનંદ કરીએ.