Class 9 Gujarati Textbook Solutions Chapter 13 ઘડવૈયા Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1. કરુણાશંકર માસ્તર ઉદાસ કેમ બની ગયા?
(A) શાળાના ઉપરી-અધિકારી ખિજાયા હતા.
(B) મલ્લ-મદારી રમવા આવ્યા હતા.
(C) ભવાયા રમવા આવ્યા હતા.
(D) પત્ની સાથે ઝઘડો થયો હતો.
ઉત્તર :
(C) ભવાયા રમવા આવ્યા હતા.
પ્રશ્ન 2. માસ્તરે પોતાનો આખો પગાર ફાળામાં શા માટે આપી દીધો?
(A) માસ્તર દાનવીર હતા.
(B) માસ્તર પ્રતિષ્ઠા મેળવવા માગતા હતા.
(C) વધુ બે દિવસ ભવાયા રમાડવા માટે
(D) ભવાયાની રમત બંધ રખાવવા માટે
ઉત્તર :
(D) ભવાયાની રમત બંધ રખાવવા માટે
પ્રશ્ન 3. આખો પગાર ભવાયાને આપી દીધા પછી માસ્તરે શું કર્યું?
(A) છાસ, રોટલો અને મીઠાની કાંકરીથી મહિનો કાઢયો…
(B) ગામલોકો પાસેથી ફાળો ઉઘરાવી લીધો.
(C) પત્નીને પિયર મોકલી દીધાં.
(D) ઉદાસ બની દિવસો પસાર કર્યા.
ઉત્તર :
(A) છાસ, રોટલો અને મીઠાની કાંકરીથી મહિનો કાઢયો…
પ્રશ્ન 4. કરુણાશંકર માસ્તરની શાળામાં કેવા કાર્યક્રમો થતા હતા?
(A) હિન્દી ફિલ્મના શો ગોઠવાતા
(B) રામાયણ-મહાભારતનાં નાટકો ભજવાતાં.
(C) મોટા ભાગે લાડવા ખાવાનાં આયોજન થતાં.
(D) ક્યારેક ભવાયા રમાડવામાં આવતા.
ઉત્તર :
(B) રામાયણ-મહાભારતનાં નાટકો ભજવાતાં.
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. કરુણાશંકર માસ્તરે ભવાયાની રમત શા માટે બંધ રખાવી?
ઉત્તર :
ભવાયાની રમતમાં ગણેશવંદના પછી લોકરંજનના નામે દ્વિઅર્થી વાણીનો ઘાણ શરૂ થયો. બાળકોમાં તેના કુસંસ્કારો ન પડે તે માટે કરુણાશંકર માસ્તરે પોતાનો એક માસનો પગાર આપી દઈને રમત બંધ રખાવી.
પ્રશ્ન 2. ગામલોકો આજે પણ કરુણાશંકર માસ્તરને કેમ ભૂલ્યા ન હતા?
ઉત્તર :
કરુણાશંકર માસ્તરે પોતાનો એક માસનો પગાર ભવાયાના નાયકને આપીને બીજા દિવસની રમત બંધ રખાવી હતી, જેથી બાળકો તે રમતનું ભોળાભાવે અનુકરણ ન કરે. માસ્તરે આખા માસનો પગાર ગામનાં બાળકોના સંસ્કાર-રક્ષણ માટે અર્પણ કરીને છાશ, રોટલો અને મીઠાની કાંકરીથી મહિનો કાઢ્યો હતો! આવા માસ્તરને ગામલોકો કેમ ભૂલે?
3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો :
પ્રશ્ન 1. કરુણાશંકર માસ્તરનું પાત્રાલેખન કરો.
ઉત્તર :
કરુણાશંકર ખેડા જિલ્લાના ગંભીરા ગામની પ્રાથમિક શાળાના આદર્શ શિક્ષક હતા. શાળાના વિદ્યાર્થીઓ સારું ભણે તેની સાથે તેઓ સંસ્કારી બને તેનું તે વિશેષ ધ્યાન રાખતા. તેમનો શાળાએ જવાનો સમય નિશ્ચિત હતો, પરંતુ શાળાએથી આવવાનો સમય નિશ્ચિત ન હતો. તેમનાં રામાયણ મહાભારતનાં પાત્રો શાળામાં મહાલતાં હોય. તેમની શાળાનું બાળક અસત્ય ન બોલે, અપશબ્દ ન બોલે.
ગામમાં ભવાયા આવ્યા. લોકરંજનના નામે દ્વિઅર્થી વાણીનો પ્રવાહ વહ્યો. કરુણાશંકર માસ્તરને તેનાથી બાળકોમાં કુસંસ્કાર પડે તે ચિંતા થવા લાગી. તેમણે ભવાયાના નાયકને પોતાનો માસિક પગાર – બાર રૂપિયા – આપીને બીજા દિવસનો ખેલ બંધ રખાવ્યો.
આમ, કરુણાશંકર માસ્તર બાળકનું જીવનઘડતર કરનારા સાચા શિક્ષક હતા.
પ્રશ્ન 2. કરુણાશંકર માસ્તરની શાળાનું વાતાવરણ તમારા શબ્દોમાં લખો.
ઉત્તર :
કરુણાશંકર ખેડા જિલ્લાના ગંભીરા ગામની પ્રાથમિક શાળાના આદર્શ શિક્ષક હતા. પોતાના વિદ્યાર્થીઓ પર કુસંસ્કારો ન પડે તે માટે તે સતત કાર્યરત રહેતા. શાળા નિશ્ચિત સમયે ખૂલતી, પણ નિશ્ચિત સમયે બંધ ન થતી. કાર્યરત કરુણાશંકરનાં રામાયણમહાભારતનાં પાત્રો શાળામાં મહાલતાં હોય. શાળાનાં બાળકો સંસ્કારી. એક પણ બાળક અસત્ય ન બોલે કે અપશબ્દ ન બોલે. આમ, શાળામાં સંસ્કારી વાતાવરણ હતું.