Class 9 Gujarati Textbook Solutions Chapter 11 વારસાગત Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1. મગનની મહેનતનો બદલો રામશંકરે કઈ રીતે આપ્યો?
(A) થોડા પૈસા આપીને
(B) ઢોર-ઢાંખર આપીને
(C) જમીનનો એક કટકો આપીને
(D) મકાન આપીને
ઉત્તરઃ
(C) જમીનનો એક કટકો આપીને
પ્રશ્ન 2. મગનને પગ નીચેની જમીન સરી જતી કેમ લાગી?
(A) ધરતીકંપનો અનુભવ થવાથી
(B) “આ જમીન તારી નથી.’ એવા મોહનના શબ્દો સાંભળીને.
(C) સ્તબ્ધ સ્વજનોને જોઈને
(D) રામશંકરના અવસાનના સમાચાર સાંભળીને
ઉત્તરઃ
(B) “આ જમીન તારી નથી.’ એવા મોહનના શબ્દો સાંભળીને.
પ્રશ્ન 3. ‘હું રામશંકરનો દીકરો છું’ – આ વાક્યનો ભાવાર્થ નીચેનામાંથી જણાવો.
(A) મારા ઉપર વિશ્વાસ કરવો નહિ.
(B) પિતા-પુત્રના વિચારો જુદા પડે છે.
(C) હું જ જમીનનો વારસદાર છું.
(D) મારા પિતાના વિચારો અને ખાનદાની મને વારસામાં મળી છે.
ઉત્તરઃ
(D) મારા પિતાના વિચારો અને ખાનદાની મને વારસામાં મળી છે.
પ્રશ્ન 4. ‘મારી જમીનમાં સોનાનો સૂરજ’ વાક્યનો અર્થ શોધો.
(A) જમીનમાં કશું જ ઊપજતું નથી.
(B) જમીનમાં મબલક પાક ઊપયો છે.
(C) જમીનમાંથી સોનું મળી આવ્યું છે.
(D) સોનાના પતરામાં સૂરજનું ચિત્ર છે.
ઉત્તરઃ
(B) જમીનમાં મબલક પાક ઊપયો છે.
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. સ્વજનોએ મોહનને કઈ સલાહ આપી?
ઉત્તરઃ
સ્વજનોએ મોહનને મગન પાસેથી જમીન પાછી લઈ લેવા સલાહ આપી. તેમણે કહ્યું, ‘તારા બાપે આ જમીન મગનને આપી એ સાચું, પણ એનો પુરાવો ક્યાં છે? વહેવારું બન.’
પ્રશ્ન 2. મોહને દસ્તાવેજમાં સહી કરી આપી કારણ કે.
ઉત્તર :
મગને કહ્યું કે તમારા બાપુ રામશંકરની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ ઊગ્યો છે. આ સાંભળી તરત જ મોહને તેને ધમકાવતાં પૂછ્યું કે, “આ જમીન તારી છે એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે?” મોહનના આવા શબ્દો સાંભળીને મગને દસ્તાવેજમાં સહી કરી આપી.
3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો :
પ્રશ્ન 1. “મોહને પિતાની ખાનદાનીનો વારસો જાળવ્યો હતો.’- આ વિધાન સમજાવો.
ઉત્તર:
મોહનના પિતા રામશંકર હતા. તેમની જમીન છેલ્લા દસ વર્ષથી મગન ખેડતો હતો. મગન ટાઢ, તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના મહેનત કરતો. પરિણામે દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલક પાક થતો અને તેથી અઢળક કમાણી થતી. મગનની મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર આવતાં રામશંકરે મગનને જમીનનો એક કટકો કાઢી આપ્યો હતો. પરંતુ પાકું લખાણ થાય એ પહેલાં રામશંકરે દેહ છોડ્યો.
સ્વજનોએ મોહનને જમીન પાછી મેળવી લેવા ચડાવ્યો. સ્વજનોની હાજરીમાં મોહને મગનને ધમકાવ્યો અને તેની પાસેની જમીન તેની છે તેનો કોઈ આધાર, કોઈ લખાણ હોય તો બતાવવા કહ્યું. પછી તેને કાગળો પર સહી કરવા કહ્યું. મગને સહી કરી. મોહન બોલી ઊઠ્યો, ‘આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ. તે સાચવ, આ તારો દસ્તાવેજ.”
સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી એટલે મોહને મગનને ખભે હાથ રાખી કહ્યું, “હું રામશંકરનો દીકરો છું.’
આ રીતે મોહને ખાનદાનીનો વારસો જાળવ્યો. આ રીતે આ પાઠનું શીર્ષક ‘વારસાગત’ યોગ્ય છે.