Class 9 Gujarati Textbook Solutions Chapter 10 એ લોકો Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1. કવિને કવિ કેમ થવું નથી?
(A) કવિ થવું અઘરું છે.
(B) હવે કવિતા કોઈ વાંચતું નથી.
(C) કવિઓ ગરીબ હોય છે.
(D) કવિ શોષણખોરીનો નાશ કરનારી જંતુનાશક દવા બનવા માગે છે.
ઉત્તર :
(D) કવિ શોષણખોરીનો નાશ કરનારી જંતુનાશક દવા બનવા માગે છે.
પ્રશ્ન 2. કાપડના તાકા ભરી રાખનારા લોકો ક્યારે કાપડ વેચે છે?
(A) સમય આવ્યે દાન કરે છે.
(B) માણસ જન્મે ત્યારે વેચે છે
(C) માણસ ફાટી જાય ત્યારે વાર વાર વેચે છે.
(D) માણસોને જરૂર હોય ત્યારે આપે છે.
ઉત્તર :
(C) માણસ ફાટી જાય ત્યારે વાર વાર વેચે છે.
પ્રશ્ન 3. ‘માણસનું ફૂટવું’ શબ્દનો અહીં આપેલા શબ્દમાંથી સાચો અર્થ જણાવો.
(A) મૃત્યુ થવું
(B) જન્મ થવો
(C) વહેલી સવાર થવી
(D) શીશીઓનું ફૂટવું
ઉત્તર :
(A) મૃત્યુ થવું
પ્રશ્ન 4. સંગ્રહખોરોની સરખામણી અહીં કોની સાથે કરી છે?
(A) ભમરા સાથે
(B) ફૂલ સાથે
(C) ઊધઈ સાથે
(D) રૂપિયા સાથે
ઉત્તર :
(C) ઊધઈ સાથે
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. કવિ જંતુનાશક દવા થવા શા માટે માગે છે?
ઉત્તર :
કવિને “એ લોકો પ્રત્યે આક્રોશ છે. તેઓ અનાજ, કાપડ જેવી જીવનજરૂરિયાતની વસ્તુઓનો સંગ્રહ કરે છે; પછી તેઓ ઊંચા ભાવે વેચે છે. કવિ જંતુનાશક દવા થવા માગે છે, તેમ કરીને તે સંઘરાખોરી કરનારા, નફાખોરી કરનારાઓમાં માનવતા જગાવવા માગે છે.
પ્રશ્ન 2. એ લોકો ધાન્યને કયારે વેચે છે?
ઉત્તર :
જ્યારે ભૂખ્યો માણસ સડી જાય છે (ભૂખને લીધે બેહાલ થઈ જાય છે, ત્યારે સંઘરાખોરો અનાજ વેચવા કાઢે છે.
3. નીચેના પ્રશ્નોના સવિસ્તારા વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. સ્વાર્થી અને શોષણખોર લોકો ઉપરનો કટાક્ષ કાવ્યના આધારે લખો.
ઉત્તરઃ
આ કાવ્યમાં કવિએ સ્વાર્થી અને શોષણખોર લોકો ઉપર કટાક્ષ કર્યો છે. તેઓ પોતાના સ્વાર્થમાં માનવતા ભૂલી જાય છે. ગરીબ માણસ અનાજ વગર ભૂખે મરતો હોય, તેને પહેરવા માટે કપડાં ન હોય, પણ શોષણખોરો અનાજ અને કાપડનો સંગ્રહ કરીને, તે ઊંચી કિંમતે વેચે છે. કવિએ આવા લોકોને નોટો ખાઈને ઉછરનાર ઊધઈ કહ્યા છે. તેમનામાં સંવેદના હોતી નથી. કવિ જંતુનાશક દવા થઈને તેમનામાં માનવતા જગવવા ઇચ્છે છે.
પ્રશ્ન 2. ‘એ લોકો’ કૃતિના ભાવને કાવ્યના આધારે વર્ણવો.
ઉત્તરઃ
“એ લોકો’ કૃતિમાં કવિ સંગ્રહખોર, શોષણખોર લોકો પર આક્રોશ ઠાલવે છે. એ લોકો’ એટલે શ્રીમંત વર્ગ. તેઓ કોઈ પણ રીતે પૈસા કમાવા ઇચ્છે છે. ગરીબ માણસ અનાજ વિના, કપડાં વિના અને દવા વિના રિબાતો હોય ત્યારે “એ લોકો તેના ગેરલાભ ઊઠાવે છે. તેઓ અનાજ, કપડાં, દવા ઊંચા ભાવે વેચે છે. કવિ કાવ્ય દ્વારા માનવતાનો સંદેશ આપે છે. “એ લોકોએ સંવેદનશીલ બનીને ગરીબોનાં દુઃખદર્દ દૂર કરવાં જોઈએ. તેઓની લાચારીનો લાભ ઊઠાવવો જોઈએ નહિ.