Class 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1. એક મૂર્ખને કેવી ટેવ છે?
(A) દરેક પથ્થરને ભગવાન માનવા લાગે છે.
(B) તુલસીનાં પાન તોડે છે.
(C) પાણી જુએ ત્યાં સ્નાન કરવા બેસી જાય છે.
(D) ઉપરના A – B – C ત્રણેય.
ઉત્તરઃ
(D) ઉપરના A – B – C ત્રણેય.
પ્રશ્ન 2. અખો ઈશ્વર અંગે માને છે કે ……………………….
(A) ઈશ્વર ઘણા બધા છે.
(B) ઈશ્વર એકથી વધારે છે.
(C) ઈશ્વર એક અને માત્ર એક જ છે.
(D) ઈશ્વર જેવું કશું નથી.
ઉત્તરઃ
(C) ઈશ્વર એક અને માત્ર એક જ છે.
પ્રશ્ન 3. સૂર્યના પ્રકાશનો અસ્વીકાર કોણ કરે છે?
(A) જ્ઞાની
(B) ઘુવડ
(C) કબૂતર
(D) ડાહ્યા માણસો
ઉત્તરઃ
(B) ઘુવડ
પ્રશ્ન 4. જ્યાં જોઈએ ત્યાં બધે જ શું દેખાય છે?
(A) કૂડેકૂડ (કપટ)
(B) નિખાલસતા
(C) પ્રકાશ
(D) ડહાપણ
ઉત્તરઃ
(A) કૂડેકૂડ (પટ)
પ્રશ્ન 5. મૂર્ખ કઈ વસ્તુ ત્યજીને પથ્થરને ઉપાડે છે?
(A) ઘુવડ
(B) તુલસી
(C) હીરો
(D) પાણી
ઉત્તરઃ
(C) હીરો
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. અખો કોને મોટો ઉત્પાત ગણાવે છે?
ઉત્તર :
કેટલાક લોકો બાહ્યાચાર કરે છે. તેઓ એક જ ઈશ્વરને બદલે ઘણા પરમેશ્વર હોવાની વાતો કરે છે. અખો તેને મોટો ઉત્પાત ગણાવે છે.
પ્રશ્ન 2. સૂર્યની વાત કરનારને ઘુવડ શો જવાબ આપે છે?
ઉત્તર :
સૂર્યની વાત કરનાર આગળ ચાંચ ધરીને ઘુવડ જવાબ આપે છે કે શું અમારાં હજારો વર્ષ અંધારામાં ગયાં? તમે ક્યાંથી આવા ડાહ્યા થઈ ગયા?
3. નીચેના પ્રશ્નોના છ-સાત વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. અખાના છપ્પામાંથી તમને શું જાણવા મળ્યું ? વિગતે લખો.
ઉત્તર :
અખાના પહેલા છપ્પામાંથી આપણને જાણવા મળે છે કે પરમેશ્વર એક જ છે. ઢોંગી લોકો જ બાહ્ય આચારમાં માને છે.
અખાના બીજા છપ્પામાંથી આપણને જાણવા મળે છે કે આપણે સમયની સાથે નવીન વિચારો સ્વીકારવા જોઈએ. વાદવિવાદમાં પડીને આપણે આપણું હીરા જેવું મૂલ્યવાન જીવન વેડફવું જોઈએ નહિ.
પ્રશ્ન 2. જ્ઞાની હોવાનો દેખાવ કરતાં અજ્ઞાનીઓ વિશે અખાના વિચારો વર્ણવો.
ઉત્તર :
અજ્ઞાનીઓ ઘુવડ જેવા હોય છે. તેઓ જ્ઞાની હોવાનો દેખાવ કરે છે. તેઓ નવીન વિચારો સ્વીકારવા તૈયાર હોતા નથી. કોઈ નવીન વિચારો રજૂ કરે તો તેનો વિરોધ કરતાં તેઓ દલીલ કરે છે કે તમે આવા ડાહ્યા ક્યારના થઈ ગયા? આવા લોકો અજ્ઞાનતાના અંધકારમાં જીવીને હીરા જેવું મૂલ્યવાન જીવન વેડફે છે.