Hand Emojji Images Hello,Welcome to StudentBro.


Std 10 Gujarati Textbook Solutions Chapter 9 હાથ મેળવીએ

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની () નિશાની કરો.

પ્રશ્ન 1. કવિ અહીં કોનો હાથ માંગે છે ?
(a) અજાણી વ્યક્તિનો
(b) મિત્રનો
(c) પત્નીનો
(d) પાડોશીનો
ઉત્તર :
(a) અજાણી વ્યક્તિનો

પ્રશ્ન 2. ‘હાથમાં ઉષ્મા અને થડકો’ કહીને કવિ કયા ભાવને ભેળવવાની વાત કરે છે ?
(a) પરસ્પરના વેરભાવ
(b) પરસ્પરના હૃદયનો ભાવ
(c) પરસ્પરની ટીકાનો ભાવ
(d) પરસ્પરનો દ્વેષભાવ
ઉત્તર :
(b) પરસ્પરના હૃદયનો ભાવ

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1. કવિ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે?
ઉત્તર :
કવિ આ ખાલી હાથમાં પણ ઉષ્મા અને થડકો હોવાનું અનુભવે છે.

પ્રશ્ન 2. કવિ અજાણ્યા માણસને શું કહે છે ?
ઉત્તર :
કવિ અજાણ્યા માણસને પણ પોતાનો હાથ લંબાવીને મૈત્રી કરવા આમંત્રણ આર્ષ છે.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. તમારા હાથમાં શું-શું છે ?
ઉત્તર :
તમારા હાથમાં ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે અને એ ઉપરાંત બીજાં અનેક સારાં કાર્યો કરવાની આવડત હશે; પણ કવિને આવી બધી વાતોમાં કોઈ રસ નથી. એમને તો માત્ર હાથ મેળવીને માનવીના હૃદયભાવને સ્પર્શ કરીને મંત્રી બાંધવી છે.

પ્રશ્ન 2. ‘હાથ મેળવવા’ દ્વારા કવિ શું સૂચવે છે ?
ઉત્તર :
માનવીના હાથે અનેક કામો થાય છે, હાથથી સારાં અને નઠારાં કામો થાય છે, હાથની આવડતથી સારું અને ઉમદા કામ થાય છે; તો બિનઆવડતવાળા હાથથી ખરાબ અને ખોટું કામ પણ થાય છે. હાથથી મૈત્રી થાય છે. હાથથી દુશ્મની પણ થાય છે, હાથથી તાલી પણ પડે છે અને હાથથી તમાચો પણ પડે છે.

4. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.

પ્રશ્ન 1. ‘આ બેય ખાલી હાથમાંયે કેટલું છે ! – પંક્તિ સમજાવો.
ઉત્તર :
ખરેખર હાથ ખાલી નથી. આ બંને હાથમાં ધન, સંપત્તિ, યશ-અપયશ, સારાં-ખોટાં કામ, આવડત, બિનઆવડત, કીર્તિ, ઉષ્મા” અને થડકો જેવી અનેક બાબતો સમાયેલી છે. બંને હાથથી મિત્રતા બંધાય છે. હૃદયના ભાવ વધે છે. સમાનતા સાધી શકાય છે, તદન સહજભાવે, હોદાનું અભિમાન છોડીને સરળ માનવ બનવાનું કવિનું સ્વપ્ન છે. એટલે પોતે પહેલ કરીને, અજાણયાને ‘ પણ હાથ લંબાવીને મિત્ર બનાવવા ચાહે છે. ખરેખર, હાથ ખાલી નથી, આ મૈત્રીપૂર્ણ હાથ છે.

પ્રશ્ન 2. ધન, સત્તા, કીર્તિનું કામ નથી – એમ કવિ શા માટે કહે છે ?
ઉત્તર :
કવિની ઇચ્છા માત્ર મૈત્રી બાંધવાની છે, હાથ મેળવીને બીજાનાં હૃદય સુધી પહોંચવાની ઇચ્છા છે, ધન, સત્તા અને કીર્તિથી માણસ બીજા માણસથી અલગ થઈને એકલો જીવે છે. કવિને આવી ભૌતિક વસ્તુઓમાં જરાયે રસ નથી. તમે તમારું પદ કે હોદ્દો છોડીને સામાન્ય બનો, લોકો સાથે પ્રેમથી હળો-મળો એ જરૂરી છે, ધન-સત્તા-કીર્તિ ક્ષણિક છે, પ્રેમ કાયમી છે, બધાંને મિત્ર બનાવો – બધાંને પ્રેમ આપો, ભૌતિક વસ્તુઓ છોડો – પ્રેમને અપનાવો. કવિને પણ આવી વસ્તુ નથી જોઈતી. માત્ર હાથ, માત્ર મૈત્રી જોઈએ છે.