Hand Emojji Images Hello,Welcome to StudentBro.


Std 10 Gujarati Textbook Solutions Chapter 8 સૂરજ તો બધે જ સરખો

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની () નિશાની કરો.

પ્રશ્ન 1. રજાઓમાં છોકરાંઓ લેખકને ક્યાં જવાનું કહે છે?
(a) અંબાજી
(b) આગ્રા
(c) દિલ્લી
(d) હરદ્વાર
ઉત્તર :
(b) આગ્રા

પ્રશ્ન 2. માથેરાનમાં સર્વશભાઇ કયા પોઇન્ટ પર નાળિયેરનું પાણી પીતા ?
(a) પેનોરમા
(b) ડોના-પૌલા
(c) એકો પોઇન્ટ
(d) સનસેટ પોઇન્ટ
ઉત્તર :
(a) પેનોરમા

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1. સર્વશભાઇના મતે મોંઘવારીમાં દાર્જિલિંગમાં ફરવા માટે શું કરવું ?
ઉત્તર :
લેખકના મતે મોંઘવારીમાં દાર્જિલિંગમાં ફરવા એક યુક્તિ બતાવે છે. દર્જિલિંગમાં એક વખત જમવાનું અને સાંજે નાસ્તાથી ચલાવી લેવાનું. ઝરણામાં પગ બોળીને બેસી રહેવાનું. કોઈ ખર્ચ જ નહિ.

પ્રશ્ન 2. મહાબળેશ્વર જવા માટે સર્વશભાઇ ટ્રાવેલ્સનો કેમ આગ્રહ રાખે છે ?
ઉત્તર :
મહાબળેશ્વર જવા માટે લેખક ટ્રાવેલર્સનો એટલા માટે આગ્રહ રાખે છે કે પછી ખાવા-પીવા કે રહેવાની આપણને કોઈ જ ઝંઝટ થતી નથી. બે ટાઈમ ખાવાનું, ત્રણ ટાઈમ ચા-નાસ્તો પ્રહૂલાદ ટ્રાવેલર્સવાળા આપે છે. તમો કહો એ ન એ નાસ્તો આપે છે,

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1. તાજમહેલ વિશે સર્વશભાઇ શું કહે છે ?
ઉત્તર :
તાજમહેલ વિશે લેખક કહે છે કે એક રાજાએ પોતાની પત્નીની ચૌદમી ડિલિવરીમાં ગુજરી ગયેલી તેની યાદમાં આ કબર બંધાવી ! એના કરતાં આગ્રા આખાને જમાડવું હોત અથવા તાજ મહેલ જેવી કોઈ મોટી હોટેલ બાંધી હોત તો સારું હતું !

પ્રશ્ન 2.સૂર્યને જોવા માટે સર્વજ્ઞભાઇ મહાબળેશ્વર કરતાં આબુ જવું’ એમ સર્વજ્ઞભાઇ શા માટે કહે છે ?
ઉત્તર :
મહાબળેશ્વરમાં સૂર્યોદય પોણા ચાર વાગ્યે થાય છે, એટલે આપણે ઉજાગરો કરવો પડે ! સૂરજ તો બધે સરખો. આબુમાં નિરાંતે રસોઈ કરીને બે વખત જમવાનું. જમીને આરામ કરવાનો – સાંજે નખીલેકે ચક્કર મારવાના. રબડી ખાવાની. આ બધી મજા આબુમાં છે, તેથી લેખકે મહાબળેશ્વર કરતાં આબુને વધારે પસંદ કરે છે.

4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :

પ્રશ્ન 1. સૌંદર્ય માણવાને બદલે ખાણી-પીણીમાં વિશેષ રસ લેતા પ્રવાસીઓના સ્વભાવ વિશે પાઠને આધારે નોંધ લખો.
ઉત્તર :
આ પાઠમાં માનવસ્વભાવનું સુંદર આલેખન થયું છે, લેખક અને તેમના મિત્રોને કરવામાં નહિ પણ જુદા જુદા સ્થળોની ખાણીપીણીમાં વધુ રસ હોય એમ લાગે છે. ખરેખર તો પ્રવાસમાં જુદાં જુદાં સ્થળનું પ્રાકૃતિક સૌંદર્ય માણવાનું હોય છે.
લેખક અને મિત્રોને ખાવાની વાનગીઓમાં દાળભાત, નાળિયેર પાણી, દહીંવડા, ફટદાળ ઢોકળી, બટાકાપૌંઆ, સેવખમણ, બ્રેડના ભજિયા, રબડી અને આઇસ્ક્રીમ જેવી વાનગીઓમાં જ વધુ રસ છે; એટલે માનવસ્વભાવની વિચિત્રતા અહીં બતાવેલ છે.

પ્રશ્ન 2. આખરે સર્વજ્ઞભાઈ ક્યાંય ન જવા માટે કેમ વિચારે છે ?
ઉત્તર :
લેખક પ્રવાસના સ્થળે લેખકને જુદી જુદી વાનગી ખાવાની ખૂબ ઇચ્છા થાય છે. પ્રાકૃતિક સૌંદર્ય જોવાની તેમને બિલકુલ ફુરસદ નથી, પ્રવાસના સ્થળે ભીડ અને જાણીતાં ચહેરાં જોતાં દુ:ખ થાય છે. એના કરતાં તો અમદાવાદમાં જ સાંજે ધાબે પાણી છાંટી, ઠંડક કરી આરામ કરવો વધુ પસંદ કરે છે. પટેલનો આઇસ્ક્રીમ ખાતાં, ગપ્પાં મારવાની મજા લેવાનું લેખકને ગમે છે. આવી મજા બીજે ક્યાંય પ્રાપ્ત થતી નથી, એટલે લેખક નક્કી કરે છે કે હવે કોઈ પ્રવાસ ગોઠવવો નથી, પૃથ્વીનો છેડો ઘર છે, એટલે ઘરે જ આનંદ કરી લેવો !