Std 10 Gujarati Textbook Solutions Chapter 7 જીવમાં જીવ આવ્યો
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
પ્રશ્ન 1. ‘જીવમાં જીવ આવ્યો’ – કૃતિમાં શેનું વર્ણન છે ?
(a) પ્રાણીઓના અવાજનું
(b) પક્ષીઓના કલરવનું
(c) માનવસૃષ્ટિના દુઃખનું
(d) વરસાદના આગમનનું
ઉત્તર :
(d) વરસાદના આગમનનું
પ્રશ્ન 2. ફોરાં જ્યાં બે ઝરમર ઝર્યા ……..
(a) ઊજળો રંગ કાઢ્યો
(b) જીવમાં જીવ આવ્યો
(c) ઘૂઘવ્યાં પૂર આઘાં
(d) રૂપ ખીલ્ય ધરાનું
ઉત્તર :
(b) જીવમાં જીવ આવ્યો
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. ફોરાં ઝરમર વરસ્યાં ત્યારે પવન ડમરીનું શું થયું ?
ઉત્તર :
ફોરાં ઝરમર વરસ્યા ત્યારે પવન ડમરી એકદમ શાંત થઈ જાય છે અને જીવમાં જીવ આવે છે.
પ્રશ્ન 2. વરસાદ વરસવાથી પર્ણો પર શી અસર થઈ ?
ઉત્તર :
વરસાદના વરસેવાથી પણ એકદમ સાફ-સુથરા થઈ ગયાં અને પોતાનો ઉજળો રંગ બતાવવા લાગ્યાં!
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. વરસાદ વરસવાથી પ્રકૃતિ પર તેની શી અસર થઈ ?
ઉત્તર :
વરસાદ વરસવાથી પ્રકૃતિ પર તેની ખૂબ સુંદર અસર થઈ. પક્ષીના માળા ઠંડી હવામાં ઝૂલવા લાગ્યા, ઝાડનાં પાંદડાંઓમાં ચમક અને તાજગી દેખાવા માંડી, ગરમીથી રાફડામાં દુઃખી થતી કીડીઓ ભીની થઈને, ઠંડી થઈને હારબંધ ઝાડના થડ ઉપર ચડવા માંડી, તડકો પણ સોનેરી બની ગયો, પૃથ્વી જાણે કે નવોઢા હોય એવી રૂપાળી બની ગઈ !વરસાદથી પ્રકૃતિમાં ઉત્સાહ, આનંદ અને જીવન પ્રગટ થયું.
પ્રશ્ન 2. હોંકી ઊઠ્યો તરત વગડો, સીમ સોણે ગઈ ત્યાં, ગાણે-ગાણે હરખ ઊઘલ્યો, ઘૂઘવ્યાં પૂર આધાં – પંક્તિઓ સમજાવો.
ઉત્તર :
વરસાદના આગમનથી નિર્જીવ પ્રકૃતિમાં આનંદ ઊભરાય છે. વગડાના ઝાડ-પાન, પશુ-પક્ષીઓ મીઠા અવાજ થી પોતાની ખુશી જાહેર કરે છે, મોર-બપૈયાં મીઠાં ટહૂકાં કરે છે. સીમમાં ગરમી દેખાતી હતી, તે હવે વરસાદ પડવાથી ઠંડકમાં બદલાઈ ગઈ અને સીમ એકદમ શાંત થઈ ગઈ. જાણે કે સ્વપ્નમાં સૂઈ ગઈ હોય એવું લાગવા માંડયું. કોઈ શુભપ્રસંગે ગવાતાં ગીતોમાં આનંદ આનંદ દૃષ્ટિગોચર થવા લાગ્યો અને આ ગીતનો હરખ દૂર દૂર સુધી પહોંચે છે. સૌ પશુ, પક્ષી અને માનવો વરસાદના આનંદથી હરખઘેલાં બની જાય છે.
4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
પ્રશ્ન 1. ‘જીવમાં જીવ આવ્યો’ – શીર્ષકની યથાર્થતા ચર્ચો.
ઉત્તર :
સોનેટ સ્વરૂપમાં લખાયેલી આ કૃતિમાં જળ વિના વિવળ થયેલ જીવ માત્રને વરસાદનાં બે-ચાર ફોરાં પડવાનાં શરૂ થતાં જ ‘ જીવમાં જીવ આવે છે; એટલે આ શીર્ષક યથાર્થ છે અને સુંદર છે.
ઉનાળાની ગરમીમાં પશુ-પક્ષી, માનવ-પ્રકૃતિ તમામ સજીવ સૃષ્ટિ દુ:ખી છે, શૂન્ય છે. ચારે બાજુ લૂ ચાલે છે. બધાં જીવો દુ:ખી છે; ચેતનવિહોણા થઈને બેહોશીમાં પડેલાં છે. ક્યાંય ચેતનવંતુ જીવન દેખાતું નથી; પણ કુદરતની અને ઈશ્વરની કૃપાથી આકાશમાંથી નવજીવનરૂપી વરસાદનાં ફોરાં પડવાની શરૂઆત થતાં જ ચારે તરફ એકદમ હરખની હેલી ફરી વળે છે.
સમગ્ર સૃષ્ટિ મૃત્યુશૈયા છોડીને નવજીવનને માણવા ઉમટી પડે છે, પશુ, પક્ષી, માનવ, ઝાડ-પાન-કીડી જેવાં જીવો પણ આનંદિત થઈ જાય છે. સૌને હૈયે ધરપત વળે છે અને સૌનાં જીવમાં જીવ આવે છે, જીવવાની તમન્ના ઊભી થાય છે. કવિશ્રીએ આ દૃષ્ટિએ ‘જીવમાં જીવ આવ્યો’ શીર્ષક આપીને આપણી પણ સહાનુભૂતિ જીતી લીધી છે, તેથી એમ કહી શકાય કે આ શીર્ષક યથાર્થ છે અને ખૂબ સુંદર છે.
પ્રશ્ન 2. પ્રથમ વરસાદ થયા પછીની નવચેતનાને તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર :
ગરમીથી તેણે સજીવોને પ્રથમ વરસાદથી જે આનંદ થાય છે, એ અવર્ણનીય છે. મડદાંને કોઈએ જાણે સંજીવની છાંટીને જીવન અર્પણ કર્યું હોય એમ પ્રથમ વરસાદથી સમગ્ર સૃષ્ટિ આનંદમાં તરબોળ થઈ જાય છે. પશુ, પક્ષી, માનવ, જેતુને વરસાદથી નવજીવન પ્રાપ્ત થાય છે અને હાથે હાશ થઈને જીવમાં જીવ આવે છે, ધૂળની ડમરી શાંત બને છે.
વૃતાનાં પાંદડાં ચળકે છે, કીડીઓ આનંદથી ઝાડ ઉપર ચડે છે, ધરતી નવોઢા જેવી સુંદર લાગે છે, ખુશીનાં ગીતો ગવાય છે. લોકો દૂર દૂરથી એકબીજાને મળીને હરખઘેલાં બને છે. પશુઓ પોતાનાં બચ્ચાંને દૂધ પીવડાવવાં દોડતાં આવે છે – એ રીતે સમગ્ર સૃષ્ટિમાં ચેતન તરવરતું દેખાય છે, પ્રથમ વરસાદમાં બાળકોને નહાવાની મજા પડે છે, બધાં ખુશ દેખાય છે. પ્રકૃતિમાતા પણ ચેતનવંતી બની જાય છે. સર્વત્ર નવજીવન અને આનંદ છવાઈ જાય છે. સૌનાં જીવમાં જીવ આવે છે.