Hand Emojji Images Hello,Welcome to StudentBro.


Std 10 Gujarati Textbook Solutions Chapter 4 જીવન અંજલિ થાજો

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની () નિશાની કરો.

પ્રશ્ન 1. કવિ પોતાના જીવનને કેવું બનાવવા માંગે છે ?
(a) સુઘડ
(b) આકર્ષક
(c) સ્વચ્છ
(d) પરોપકારી
ઉત્તર :
(d) પરોપકારી

પ્રશ્ન 2. કવિ કયો દીપક કદી ન ઓલવાય એમ ઇચ્છે છે ?
(a) અંધશ્રદ્ધાનો
(b) અશ્રદ્ધાનો
(c) શ્રદ્ધાનો
(d) નિરાશાનો
ઉત્તર :
(c) શ્રદ્ધાનો

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1. કવિ ભૂખ્યા અને તરસ્યા માટે શું બનવા ઇચ્છે છે ?
ઉત્તર :
કવિશ્રી ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે જળ બનવાનું ઇચ્છે છે.
પ્રશ્ન 2. કવિ દરેક સ્પંદને શું ઇચ્છે છે?
ઉત્તર :
કવિ દરેક સ્પંદને ઈશ્વરનું નામ રટવાનું ઇચ્છે છે.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1. કવિ ક્યાં ચાલવાનું કહે છે? શા માટે ?
ઉત્તર :
કવિ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે ચાલવાનું કહે છે. દરેક મનુષ્ય ઈશ્વરને પ્રાપ્ત કરવા ઇચ્છે છે, ચરણો જો થો કી જાય, તો ઈશ્વરે પ્રાપ્ત થતા નથી, એટલે થાક્યા વિના ઈશ્વર પ્રાપ્તિ માટે, એમની દિશામાં કવિ ચાલવાનું ઇચછે છે, સેવા કરવાથી ઈશ્વરની પ્રાપ્ત સરળ બને છે. પરોપકાર કરો, ઈશ્વરને મેળવો.

પ્રશ્ન 2. કવિ પોતાનાં ચરણોને વણથાકયાં કેમ કહે છે ?
ઉત્તર :
આપણે સમાજમાં કોઈ વસ્તુની પ્રાપ્ત કરવી હોય તો પુરુષાર્થ કરવો પડે છે. કામ કરવું પડે છે, ચાલવું પડે છે. જો આપણા ચરણ ચાલતાં જ થાકી જાય, તો આપણને ધ્યેયની પ્રાપ્તિ થતી નથી. એટલે કવિ પોતાના ચરણોને વણથાક્યા કહે છે; તો જ ઈશ્વર કે ધ્યેયને મેળવી શકાય છે.

4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1. “જીવન અંજલિ થાજો’ – શીર્ષકની યથાર્થતા સિદ્ધ કરો.
ઉત્તર :
જીવન અંજલિ થાજો ‘ પ્રાર્થનાગીત છે, બહુ સુંદર અને ભાવવાહી છે, પોતાનું જીવન અંજલિરૂપ બને, અન્યને ઉપયોગી થાય તેવી માગણી કવિએ અહીં વ્યક્ત કરી છે. ભૂખ્યા માટે ભોજન બનવું, તરસ્યા માટે જળ બનવું, દીન-દુ:ખિયાનાં આંસુ લૂછવાં અને એ કામ ક૨તાં થાકવું નહિ, એવી કવિની ભાવના ઉચ્ચ કોટિની છે. પોતાના માટે નહિ પણ બીજાને માટે જીવવું અને પરોપકાર કરવો – એવી કવિની ભાવના ઉચ્ચ પ્રકારના સંતની શ્રેણી બતાવે છે.

સત્યને માર્ગે ચાલનારને કંટકો અને મુસીબતોનો સામનો કરવો પડે છે. કવિ આવા સત્યના ઉપાસકોના કંટકળ્યાં રસ્તા ઉપર પુષ્પ બનીને પથરાવાની ઇચ્છા વ્યક્ત કરે છે. જીવન-નૈયા સંસારરૂપી સાગરમાં ડગમગે ત્યારે શ્રદ્ધાના દીવાને પ્રજ્વલિત , રાખવા ઈશ્વરને પ્રાર્થના કરે છે. આમાં કવિની નિઃસ્વાર્થ સેવાની આપણને ઝાંખી થાય છે, અન્ય માટે જીવન સમર્પિત કરવાની – કવિની ભાવના ના કાવ્યમાં ઠેરઠેર દષ્ટિગોચર થાય છે; તેથી મારી દૃષ્ટિએ ‘જીવન અંજલિ થાજો ‘ શીર્ષક દરે ક દૃષ્ટિકોણથી યથાર્થ સાબિત થાય છે.

પ્રશ્ન 2. કાવ્યપંક્તિ સમજાવો :
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો”
ઉત્તર :
કવિની ઈશ્વર તરફની શ્રદ્ધા અચળ અને અટૂટ છે. સંસાર-સાગરમાં આવતાં સુખ-દુ:ખનાં વમળોની વચ્ચે જીવનરૂપી નાવ હાલ ક ડોલક થતી રહે છે. ત્યારે આવા દુ:ખના પ્રસંગોએ હે ઈશ્વર ! મારો શ્રદ્ધાનો દીપક સદા પ્રજવલિત રહે અને કદીયે ન બૂઝાય, એવું તે ગોઠવજે ! એક કવિએ કહ્યું છે : “રે ! રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળેય ન ખાવે” એટલે જો હું જ શ્રદ્ધા ગુમાવી બેસું તો મારું જીવન અંજલિ બની શકે નહિ, દુ:ખમાં અડગ રહેવા અને આગળ વધવા મારો શ્રદ્ધાનો દીવડો અખંડ રહે, એવી કવિની ઈશ્વરને પ્રાર્થના છે. ઈશ્વર પણ બીજાને મદદ કરનારને તરત જ મદદ કરે છે.