Hand Emojji Images Hello,Welcome to StudentBro.


Std 10 Gujarati Textbook Solutions Chapter 3 પ્રયાણ

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની () નિશાની કરો.

પ્રશ્ન 1. ટિકિટ માટે ભદ્રંભદ્ર કયો શબ્દ પ્રયોજે છે ?
(a)
મૂલ્યપત્રિકા
(b) પત્રિકા
(c) કંકોતરી
(d) નિમંત્રણ કાર્ડ
ઉત્તરઃ
(a) મૂલ્યપત્રિકા

પ્રશ્ન 2. ‘શું બકેચ ? આય તો તીકીટ ઑફિસ છે.’ – વાક્ય કોણ બોલે છે ?
(a)
સોરાબજી
(b) ભદ્રંભદ્ર
(c) હિંદુ મુસાફર
(d) અંબારામ
ઉત્તરઃ
(a) સોરાબજી

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1. ભદ્રંભદ્ર અને અંબારામ કયા કાર્ય માટે પ્રયાણ કરી રહ્યા હતા ?
ઉત્તરઃ
આપણા વેદધર્મોનું રક્ષણ કરવો, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા ભદ્રંભદ્ર અને અંબારામ મુંબઈ પ્રયાણ કરી રહ્યા હતા.

પ્રશ્ન 2. ટિકિટ, સ્ટેશન અને મુંબઈ માટે પાઠમાં ભદ્રંભદ્ર કયા શબ્દો પ્રયોજ્યા છે ?
ઉત્તરઃ
ટિકિટ માટે ‘મૂલ્યપત્રિકા’, સ્ટેશન માટે ‘અગ્નિરથ વિરામસ્થલ’ (પાઠમાં આ શબ્દ શોધશો નહિ !) અને મુંબઈ માટે ‘શ્રી મોહમયી – નગરી જેવા શબ્દો ભદ્રંભદ્ર પ્રયોજ્યાં છે.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. ભદ્રંભદ્રનું વર્તન ક્યારે ક્યારે હાસ્ય જન્માવે છે ?
ઉત્તરઃ
ભદ્રંભદ્રનું વર્તન જ આપણને અનેક પ્રસંગે હાસ્ય જન્માવે તેવું હોય છે. થોડા પ્રસંગ જુઓ :

  1. ભદ્રંભદ્ર ઘેરથી નીકળતાં જ અપાર આનંદમાં હોય છે. અકથ્ય ઉમંગની વાતે આપણને હસવું આવે છે.
  2. શિયાળવાને વરુ ધારીને ભદ્રંભદ્ર દોડવામાં અંબારામ આગળ નીકળી ગયેલા એ વાતથી આપણને હસવું આવે છે.
  3. મુંબઈની ટિકિટઃ લેવા ટિકિટબારીમાં ખભા સુધી ડોકું ઘાલીને પારસી પાસેથી ટિકિટ માગે છે, ત્યારે આપણને હસવું આવે છે.
  4. મુંબઈ, ટિકિટ વિશેના એમના સંસ્કૃતપ્રચુર શબ્દો સાંભળીને આપણને હસવું આવે છે.
  5. પવનના સ્પર્શથી સ્નાન કરવું; પાણી પીવા ચોકો કરવો – વગેરે પ્રસંગો પણ આપણાને સારું એવું હાસ્ય પૂરું પાડે છે.

પ્રશ્ન 2. અંબારામ ભદ્રંભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે ?
ઉત્તરઃ
અંબારામ ભદ્રંભદ્રના વેગ માટે એક હાસ્યજનક ઘટનાનું વર્ણન કરે છે. અંબારામ કહે છે, “મહારાજ , તે દહાડે જમાલપુર દરવાજા બહાર એક શિયાળવાને વરુ ધારીને આપણે પાછા ફર્યા હતા તે દહાડે તો તમે મારાથી બહુ અગાડી નીકળી ગયા હતા, તેવાં … ‘ વેગ કહો છો ?” જવાબમાં ભદ્રંભદ્ર ગંભીરતાથી કહે છે, “કંઈક તે, પણ તેથી સરસ.”

4. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો.

પ્રશ્ન 1. ‘પ્રયાણ’ નવલકથાખંડમાં નિષ્પન્ન થતી રમૂજનાં ચિત્રો વર્ણવો.
ઉત્તરઃ
પ્રયાણ’ નવલ કથાખંડમાં નિખન થતાં રમૂજનાં અનેક સુંદર ચિત્રો આવેલાં છે. થોડાક નમૂનાઓ નીચે મુજબ છે :

  1. ભદ્રંભદ્રનું મુંબઈ જવું અને આગગાડીમાં બેસવું. એમનાં એકધ્ય ઉમંગ આપણને હા પ્રેરે છે.
  2. જમાલપુર દરવાજે શિયાળને વરુ ધારીને અંબારામ કરતાં દોડવામાં આગળ નીકળી જવું – પ્રસંગ હોય પ્રેરે છે,
  3. ટિકિટ લેવાં ખભા સુધી ડોકું અંદર નાખી સંસ્કૃતપ્રચુર ભાષામાં મુંબઈની બે ટિકિટ માગવાનો પ્રસંગ હાસ્યપ્રેરક છે.
  4. પારસી સોરાબજી અને ભદ્રંભદ્ર વચ્ચેની વાતચીત હાસ્ય ઉત્પન્ન કરે છે, ’
  5. યવનનો સ્પર્શ, સ્નાન, ચોકો કરી પાણી પીવું અને બે બાદમીના નામ તેમજ આયુષ્ય વધારવાની વાતથી હાસ્ય ઉત્પન્ન થાય છે.

આમ, ‘પ્રયાણ’ નવલકથાખંડમાં ઉપરનાં બનાવોથી નિષ્પન્ન થતી રમૂજનાં સુંદર ચિત્રો સાંપડે છે.