Hand Emojji Images Hello,Welcome to StudentBro.


Std 10 Gujarati Textbook Solutions Chapter 2 શરણાઈના સૂર

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની () નિશાની કરો.

પ્રશ્ન 1. ‘શરણાઈના સૂર’ કૃતિમાં કોના વાત્સલ્યભાવની વાત કરવામાં આવી છે ?
(a)
ભૂધર મેરાઈ
(b) રમઝુ મીર
(c) તળશી વેવાઈ
(d) ગવરી
ઉત્તરઃ
(b) રમઝુ મીર

પ્રશ્ન 2. ‘હવે હાલ્યની ઝટ, હાલ્યની, આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કે’દી પાદરે પોગાડીશ’ – વાક્ય કોણ બોલે છે ?
(a)
મેરામણ
(b) ભૂધર વેવાઈ
(c) રમઝુ મીર
(d) તળશી વેવાઈ
ઉત્તરઃ
(b) ભૂધર વેવાઈ

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. ગવરીની વિદાય પ્રસંગે રમઝુ મીરને કોનું સ્મરણ થાય છે ?
ઉત્તરઃ
ગવરીના વિધય પ્રસંગે ૨મજુ મીરને પોતાની દીકરી સકીનાની વિદાયનું સ્મરણ થાય છે.

પ્રશ્ન 2. રમઝુ મીર પત્નીની કબર ઉપર ફૂલ ચડાવવા જતો ત્યાં કયા ફૂલ-છોડની મહેકને માણતો?
ઉત્તરઃ
૨૫૪ મીર પત્નીની કબરે ફૂલ ચડાવવા જતો ત્યાં મરવાના ફૂલ-છોડની મહેકને માણે છે.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1. દાદમાં મળેલા પૈસા રમઝુ મીર ગવરીને શા માટે આપી દે છે ?
ઉત્તરઃ
દાદમાં મળેલા પૈસા રમઝ મીર ગવરીને કાપડાના કરીને એટલા માટે આપી દે છે કે ગવરીની વિદાય જાણે કે પોતાની દીકરી સકીનાની વિદાય થતી હોય એમ પિતૃદય અનુભવે છે.

પ્રશ્ન 2. શરણાઈ વગાડતી વખતે રમઝ મીર સકીનાને કેવી રીતે સાચવતો ?
ઉત્તરઃ
શરણાઈ વગાડતી વખતે ૨મ મીર સકીનાને એની કોખમાં બેસાડે છે. કોઈ વાર ગળામાં હાથ પરોવી પીઠ પર બેઠી હોય ત્યારે એમ લાગે છે કે પીઠ પર વાંદરીનું બચ્ચું વળગી રહેલું હોય ! આમ, ચોવીસે કલાક પોતાની સાથે જ ફેરવે છે.

4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1. ‘શરણાઈના સૂર’ – કૃતિને આધારે પિતાની વેદનાનું વર્ણન કરો.
ઉત્તરઃ
ભરે જુવાનીમાં વિધુર બનેલા ૨મઝુ મીરને બે વર્ષની પોતાની બાળકી સકીનાને ઉછેરીને મોટી કરવામાં ખૂબ તે કલીફ પડે છે, બે વર્ષની અબુધ બાળકીને માતા અને પિતાનો ખાર આપવો પડે છે. હૂંફ આપવી પડે છે. ચોવીસ કલાક સાચવણી કરવી પડે છે. જમાવડી, સંભાળ રાખવી, ઓછું ન આવે એવી તકેદારી રાખવી, બાળોતિયાં ધોવા, ચોવીસે કલાક સાથે જતનપૂર્વક સાચવવી વગેરે કાર્યો પિતાને વેદના તો આપે જ છે; પણ જ્યારે સકીનાનું સાસરે એક અઠવાડિયામાં અવસાન થાય છે, એ સમાચારથી ૨મઝુ મીરનું પિતાનું હૃદય વેદનાથી ફાટી પડે છે.

પત્ની અને પુત્રીના દેહવિલયથી પિતા રમઝુમીર ભાંગી પડે છે અને ચિત્તભ્રમ જેવી પાગલ દશાને પ્રાપ્ત થાય છે, આ વિરહનું દર્દ કોઈને કહેવાય નહીં અને પોતાનાથી સહેવાય નહીં એવું બની ૨હયું છે . પોતાને મળેલા બધા જ પૈસા ગવરીને કાપડાના કરીને આપીને રમજુ મીર પિતાની વેદનાને થોડી શાંત કરવા મથે છે, એ પણ દુ:ખની જ વાત ગણાય.

પ્રશ્ન 2. રમઝુ મીરનું શબ્દ-ચિત્ર આલેખો.
ઉત્તરઃ
ભર જુવાનીમાં ઘરભંગ થયેલા ૨૫શુ મીરને બે વરસની મા વિહોણી બાળકીની માતા થવામાં બહુ તકલીફ પડેલી, ઓઝત નદીમાં દીકરી સકીનાનાં બાળોતિયાં ધોઈ તેને જીવની જેમ સાચવીને મોટી કરી. ચોવીસ કલાક સાથેને સાથે રાખે. જ્યારે શહેનાઈ વગાડવા જાય ત્યારે પોતાની પીઠ ઉપર જ રાખે ! પોતે સૂકો રોટલો ખાય, દીકરીને પકવાન ખવડાવે, પોતે સો થીંગડાંવાળું કપડું પહેરે પણ સ કીનાને ફૂલફટાક બનાવીને જ બહાર કોઢ, રમે મીરના જીવનમાં બે જ વસ્તુઓ ઈતી. એક તો શહેનાઈ અને બીજી આ લાડકી દીકરી સકીના.

ગવરીના લગ્નપ્રસંર્ગ શહનાઈ વગાડતાં તેને પોતાની વહાલી દીકરીની સાસરે વિદાયની પળ યાદ આવે છે; તેથી વેવાઈનોની નારાજગી વહોરવી પડે છે. કોઈ ૨૪ મીરના આ પિતૃહૃદયને ઓળખી શકતું નથી. પોતે જાણે સકીનાની વિદાયમાં શરણાઈ વગાડતો હોય એમ એમ સૂરમાં અને ધ્યાનમાં રાચે છે. છેલ્લે, દાદમાં મળેલા બધાં રૂપિયા ગવરીને કાપડાના કરીને ખાપી દે છે, ત્યારે તેનું પિતૃકૃદય વધુ ઉજજ્વળ બનીને આપણી સામે આવે છે, કબરસ્તાનમાં મૃત પત્નીને અંતિમવારે સુરાવલી સંભળાવીને તેનો આત્મા તૃપ્તિ અનુભવે છે. આમ, ૨મ મીર આપણા સૌની સહાનુભૂતિ જીતી લે છે.