Std 10 Gujarati Textbook Solutions Chapter 18 લઘુકાવ્યો
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
પ્રશ્ન 1. કડવા લીમડાની છાયા કેવી હોય છે?
(a) તૂરી
(b) શીતળ
(c) ગરમ
(d) આકરી
ઉત્તર :
(b) શીતળ
પ્રશ્ન 2. કેવો માણસ કદી ફૂલાતો નથી ?
(a) દંભી
(b) નિરાશ
(c) પૂર્ણતાવાળો
(d) દુ:ખી
ઉત્તર :
(c) પૂર્ણતાવાળો
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. જિંદગીની આગને શેમાં ફેરવી નાખવા કવિએ વાત કરી છે ?
ઉત્તર :
જિંદગીની આગને બાગમાં ફેરવી નાખવાની કવિએ વાત કરી છે.
પ્રશ્ન 2. પંખીએ માણસ સામે જોયા પછી શું કર્યું? શા માટે ?
ઉત્તર :
પંખીએ મારા સામે જોયા પછી પાછું પોતાના પિંજરામાં ભરાઈ ગયું.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. તળાવને કોણ જગાડે છે ?
ઉત્તર :
લીલ ઓઢીને તળાવ શાંતિથી સૂતું હોય છે ત્યારે સવારે એક પંખી પાણી પીવા આવે છે. આ પંખી જેવી પોતાની ચાંચ પાણીમાં બોલે છે કે તુરત જ તળાવ જાગી જાય છે. કોઈને પણ સારા કામ કરવા માટે એક ઇશારો જ કાફી છે.
પ્રશ્ન 2. ‘પૂર્ણ ઘડા’ દ્વારા કવિ શું કહેવા માગે છે?
ઉત્તર :
‘પૂર્ણ ઘડા’ દ્વારા કવિ એ કહેવા માગે છે કે જેમ પડામાં પૂરેપૂરું પાણી ભરેલું હોય, તો તે છલકાતો નથી. એવી જ રીતે જે મનુષ્ય જ્ઞાની હોય, જાણકાર હોય તે વધારે પડતું બોલતો નથી. માત્ર અધૂરો ઘડો જ છલકાતો હોય છે, એમ એશાની કે મૂર્ખ લોકો જ નિરર્થક પ્રલાપ કરીને છલકાતા હોય છે.
પ્રશ્ન 3. કવિ મૃત્યુ સાથે કેવો સંઘર્ષ કરવા માગે છે ?
ઉત્તર :
કવિ મૃત્યુ સાથે અને સામે ખૂબ આકરો સંઘર્ષ કરવા માગે છે. અમે એવા મનુષ્યો છીએ કે આકરી મહેનત કરીને બધાં જ ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરીશું. મૃત્યુને પણ અમારી પકડમાં લઈશું; અને અમે સંઘર્ષ કરીને તેને પણ જીતી લઈશું. મૃત્યુથી અમે લડી લઈશું અમને મૃત્યુનો જરા પણ ડર લાગતો નથી.
4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.
પ્રશ્ન 1. ‘વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું’ પંક્તિમાં વ્યક્ત થતો સંદેશ.
ઉત્તર :
‘વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું’ પંક્તિમાં ખૂબ સુંદર અને સચોટ સંદેશ છૂપાયેલો છે, વાદળ એટલે કોઈ એક વ્યક્તિ અને ટોચે એટલે સર્વોચ્ચ શિખર – સંપૂર્ણ ઉન્નતિ. જ્યારે એક વ્યક્તિ પોતાની સર્વિસમાં કે ધંધામાં સર્વોચ્ચ સ્થાને પહોંચી હોય ત્યારે તેણે સમાજના બધાં જ લોકો માટે પરોપકાર કરવો જોઈએ. સ્વાર્થ છોડીને નિઃસ્વાર્થ ભાવે ગરીબ, પીડિત અને દુ:ખી મનુષ્યની સેવા કરવી જોઈએ.
જેમ વાદળ પર્વતની ટોચ પર બિરાજમાન થાય છે, ત્યારે પોતાની પાણી રૂપી સંપત્તિ સર્વજન હિતાય ચારે બાજુ વરસાવે છે, એવી જ રીતે ઉચ્ચ પદવીએ પહોંચેલા મનુષ્ય માનવ વસ્તી ઉપર વરસીને નમ્ર બનવું જોઈએ. ઉચ્ચ હોઠો મેળવે તેમ તેનામાં વધુ નમ્રતા, બીજાની દરકાર, વિશાળતા, ઉદારતા અને ત્યાગભાવના જેવા ગુણોનો વિકાસ થાય તે અત્યંત જરૂરી છે.
પ્રશ્ન 2. ‘પંખી પીંજરામાં ભરાઈ ગયું’માં વ્યક્ત થતી વેદના વર્ણવો.
ઉત્તર :
‘પંખી પિંજરામાં ભરાઈ ગયું’ માં પંખીની અને માનવની વેદના મર્મસ્પર્શી રીતે અભિવ્યક્ત થઈ છે. પિંજરામાં કેદ કરેલા પક્ષીને માનવ વિજ રાનું બારણું ખોલીને ખુલ્લા આકાશમાં જવા મુક્ત કરે છે; પણ અફસોસ ! પંખીને માણસજાત પર પૂર્ણ ભરોસો નથી. આજે દંભ કરીને, પોતે કેટલો સારો – ઉદાર છે એ બતાવવા તે આમ કરે છે, ને પછી તરત જ પાછું એને કેદ કરીને, પકડીને પિંજરામાં પૂરી દેવાનો છે, પંખીને પિંજરામાં રહેવું દુ:ખદાયક લાગે છે, પણ માનવના દંભથી તે વધારે પીડાને પામે છે, માનવજાતિ પર પંખીને વિશ્વાસ નથી.