Hand Emojji Images Hello,Welcome to StudentBro.


Std 10 Gujarati Textbook Solutions Chapter 17 ટિફિન

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની () નિશાની કરો.

પ્રશ્ન 1. ટિફિન લઈ માંડવીમાં પ્રવેશતા વાર્તાનાયક કોને સાદ કરે છે ?
(a)
પત્નીને
(b) બાળકોને
(c) અમથી માને
(d) જીવી માને
ઉત્તર :
(c) અમથી માને

પ્રશ્ન 2. ‘ટિફિન’ કૃતિમાં ગાય માટે કયો શબ્દ પ્રયોજાયો છે.
(a) માતા
(b) કામધેનુ
(c) કાળવી
(d) ગોરવી
ઉત્તર :
(d) ગોરવી

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1. વાર્તાનાયક ટિફિન લઈ માંડવીમાં પ્રવેશે છે ત્યારે અમથીમાં શું કરતાં નજરે પડે છે ?
ઉત્તર :
વાર્તાનાયક ટિફિન લઈને માંડવીમાં પ્રવેશે છે ત્યારે અમથીમા બે મૂંગા જીવ માટે રોટલાં પડતાં નજરે પડે છે.

પ્રશ્ન 2. વાર્તાનાયક અમથીમાને શું કહે છે ?
ઉત્તર :
વાર્તાનાયક અમથમાને કહે છે : ‘માજી કહ્યું તું તો ખરું કે ટિફિન…’

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1. ‘આ રોટલાનું વૈતરું શું કામ?’ – આ વાક્યનો પ્રત્યુત્તર શો મળે છે?
ઉત્તર :
આ રોટલાનું વૈતરું શું કામનું’ – આ વાક્યનો પ્રત્યુત્તર આ પ્રમાણે છે. અમથીમા કહે છે : ‘લે ધરાઈ જઉં પણ આ સામે બેઠી : કાળવી અને ગોરવી હમણાં આવશે. એ બંનેને શો જવાબ આપવાનો ?’ એટલે મારે મન રોટલાં પડવાં એ વતર્યું નથી, પોતાનાં સ્વજનોને જમાડવાનું પુણ્યનું કામ છે.

4. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :

પ્રશ્ન 1. આ લઘુકથાનું હાર્દ સમજાવો.
ઉત્તર :
આ લઘુકથા ‘ટિફિનનું હાર્દ સમજવા જેવું છે. ગ્રામ્ય પ્રદેશમાં અનેક નિરાધાર વિધવા સ્ત્રીઓ રહે છે; પણ એમની પશુપ્રેમની અને પરોપકારની ભાવના સેંકડો વર્ષ જૂની છે, માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ આ ભાવના જોવા મળે છે. અમથીયાને ટિફિન ખાઈને રાંધવાની ઝંઝટમાંથી મુક્તિ મળે તેમ છે;’. પણ પોતાના આશરે રહેલાં બે મુંગા જીવને કોણ ખવડાવે ? સમય થાય એટલે કાળવી કરી અને ગોરવી ગાય પોતાને આંગણે નાવીને ઊભાં રહે.

જો પોતે ટિફિન ખાઈને આરામ કરે, તો આ બંને મૂંગા જીવો નિસાસો નાખે, તો પોતાનું ખાધેલું ટિફિન નકામું જાય. એટલે આ બંને જીવો માટે રોટલાં ઘડે છે. આમ, આ વાર્તામાં પશુપ્રેમ અને પરોપકારની ભાવના સરસ રીતે બતાવી છે. દરેક મનુષ્ય પશુપ્રેમ અને પરોપકારની વૃત્તિ કેળવવી જોઈએ.