Std 10 Gujarati Textbook Solutions Chapter 17 ટિફિન
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
પ્રશ્ન 1. ટિફિન લઈ માંડવીમાં પ્રવેશતા વાર્તાનાયક કોને સાદ કરે છે ?
(a) પત્નીને
(b) બાળકોને
(c) અમથી માને
(d) જીવી માને
ઉત્તર :
(c) અમથી માને
પ્રશ્ન 2. ‘ટિફિન’ કૃતિમાં ગાય માટે કયો શબ્દ પ્રયોજાયો છે.
(a) માતા
(b) કામધેનુ
(c) કાળવી
(d) ગોરવી
ઉત્તર :
(d) ગોરવી
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. વાર્તાનાયક ટિફિન લઈ માંડવીમાં પ્રવેશે છે ત્યારે અમથીમાં શું કરતાં નજરે પડે છે ?
ઉત્તર :
વાર્તાનાયક ટિફિન લઈને માંડવીમાં પ્રવેશે છે ત્યારે અમથીમા બે મૂંગા જીવ માટે રોટલાં પડતાં નજરે પડે છે.
પ્રશ્ન 2. વાર્તાનાયક અમથીમાને શું કહે છે ?
ઉત્તર :
વાર્તાનાયક અમથમાને કહે છે : ‘માજી કહ્યું તું તો ખરું કે ટિફિન…’
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. ‘આ રોટલાનું વૈતરું શું કામ?’ – આ વાક્યનો પ્રત્યુત્તર શો મળે છે?
ઉત્તર :
‘આ રોટલાનું વૈતરું શું કામનું’ – આ વાક્યનો પ્રત્યુત્તર આ પ્રમાણે છે. અમથીમા કહે છે : ‘લે ધરાઈ જઉં પણ આ સામે બેઠી : કાળવી અને ગોરવી હમણાં આવશે. એ બંનેને શો જવાબ આપવાનો ?’ એટલે મારે મન રોટલાં પડવાં એ વતર્યું નથી, પોતાનાં સ્વજનોને જમાડવાનું પુણ્યનું કામ છે.
4. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :
પ્રશ્ન 1. આ લઘુકથાનું હાર્દ સમજાવો.
ઉત્તર :
આ લઘુકથા ‘ટિફિનનું હાર્દ સમજવા જેવું છે. ગ્રામ્ય પ્રદેશમાં અનેક નિરાધાર વિધવા સ્ત્રીઓ રહે છે; પણ એમની પશુપ્રેમની અને પરોપકારની ભાવના સેંકડો વર્ષ જૂની છે, માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ આ ભાવના જોવા મળે છે. અમથીયાને ટિફિન ખાઈને રાંધવાની ઝંઝટમાંથી મુક્તિ મળે તેમ છે;’. પણ પોતાના આશરે રહેલાં બે મુંગા જીવને કોણ ખવડાવે ? સમય થાય એટલે કાળવી કરી અને ગોરવી ગાય પોતાને આંગણે નાવીને ઊભાં રહે.
જો પોતે ટિફિન ખાઈને આરામ કરે, તો આ બંને મૂંગા જીવો નિસાસો નાખે, તો પોતાનું ખાધેલું ટિફિન નકામું જાય. એટલે આ બંને જીવો માટે રોટલાં ઘડે છે. આમ, આ વાર્તામાં પશુપ્રેમ અને પરોપકારની ભાવના સરસ રીતે બતાવી છે. દરેક મનુષ્ય પશુપ્રેમ અને પરોપકારની વૃત્તિ કેળવવી જોઈએ.