Hand Emojji Images Hello,Welcome to StudentBro.


Std 10 Gujarati Textbook Solutions Chapter 15 તે બેસે અહીં

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની () નિશાની કરો.

પ્રશ્ન 1. ‘સૂર્ય તપતો હોય એનો મધ્યમાં’નો અર્થ……………
(a) વૈશાખ મહિનાનો સૂર્ય
(b) લાલ ધગધગતો ગોળો
(c) પ્રગતિની ટોચે હોવું
(d) સૂર્ય અને ચન્દ્રની મધ્યમાં
ઉત્તર :
(c) પ્રગતિની ટોચે હોવું

પ્રશ્ન 2. કવિ કઈ રીતે આપેલ દાનને ઉત્તમ માને છે ?
(a)
ગુપ્ત રીતે દાન આપ્યું હોય
(b) હાથથી દાન આપ્યું હોય
(c) દાનની ખૂબ જ જાહેરાત કરી હોય
(d) દાન આપ્યું જ ન હોય
ઉત્તર :
(a) ગુપ્ત રીતે દાન આપ્યું હોય

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1. માણસની નમ્રતા કવિએ કઈ પંક્તિ દ્વારા દર્શાવી છે ?
ઉત્તર :
માણસની નમ્રતા કવિએ નીચેની પંક્તિમાં દર્શાવી છે. ‘સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં, કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.’ એટલે કે કોઈ વ્યક્તિ ઊંચી પદવી પર હોય તો પણ કોઈને ઝૂકીને, તેનાં ચરણોની વંદના કરે, એવી વ્યક્તિ આ સભામાં બેસી શકે છે.

પ્રશ્ન 2. કવિએ સભામાં બેસવા માટેની લાયકાત કઈ ગણાવી છે?
ઉત્તર :
જે વ્યક્તિ સભામાં બેઠી હોય અને પોતે જ પોતાની જાતને પૂછે કે આ સભામાં બેસવાની તેની લાયકાત છે ? અને એમ લાગે કે નથી, તો બીજી જ ક્ષણે તે સભામાંથી ઊઠીને ચાલતો થાય, એવી વ્યક્તિની સભામાં બેસવાની લાયકાત છે.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1. બીજાના દુઃખે દુઃખી થવાની સંવેદનાને કવિ શું કહીને સમજાવે છે ?
ઉત્તર :
બીજાના દુઃખે દુઃખી થવું એ સંવેદનશીલ વ્યક્તિની લાયકાત ગણાય છે. કોઈ દુ:ખી હોય, રોતું હોય તો તેનો આંસુ લૂછવા જોઈએ, તેના દુ:ખમાં ભાગીદાર થવું જોઈએ અને પોતાની છાતીમાં પણ આવા માણઢને જોઈને દુ:ખ થવું જોઈએ, કવિએ ઓ માટે સરસ વાત કરી છે કે આંસુ લૂછો અને છાતીમાં દર્દ અનુભવો; તો જ તમે સાચા અને સારો મનુષ્ય છો અને સભામાં બેસી શકો છો.

પ્રશ્ન 2. દાનનો મહિમા કવિ કયા ઉદાહરણ દ્વારા સમજાવે છે ?
ઉત્તર :
દાનનો મહિમા માટે કવિ એક ઉદાહરણ આપે છે. નાનાં જીવજંતુને માટે વહેલી સવારે ખાંડ કે લોટ દ્વારા કીડિયારું પૂરવાનો અપરંપાર મહિમા છે, તેના કામ વહેલી સવારે કરવાનું હોય છે કે જેથી કોઈને ખબર ન પડે બીજ, ખાપણે એવી રીતે દાન કરવું જોઈએ જેની જાણ આપણા બીજા હાથ – ડાબા હાથને જાણ ન થાય, દાન હંમેશા જમણા હાથે થતું હોય છે; તેથી બીજા ડાબા હાથને તેની ખબર ન પડવી જોઈએ, એવી રીતે ગુપ્તદાન કરવું જોઈએ, ધનની જાહેરાત થવી જોઈએ નહિ.

4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1. માણસની સભાપાત્રતાની યોગ્યતા ગઝલને આધારે સમજાવો.
ઉત્તર :
કોઈ એક વ્યક્તિ કોઈ સભામાં બેઠી હોય; ત્યારે તે પોતાની જાતને પૂછે કે આ સાહિત્યની સંભો, સંગીતની સંભો, ગઝલની સભા કે અન્ય વિષયની સભા છે; ત્યારે તે પોતાની જાતને આ સભામાં બેસવાની તેની પાત્રતા છે કે નહિ, એમ પૂછે અને એને એમ લાગે કે ના, આ સભામાં બેસવાની મારી પાત્રતા કે યોગ્યતા નથી; તો બીજી જ હશે, તેણે આ સભાનો ત્યાગ કરવાની તત્પરતા ઘખવવી જોઈએ. આવી પોતાની જાતે જ પાત્રતા કે યોગ્યતા નક્કી કરે, તેને જ સંભામાં બેસવાનો અધિકાર છે, એમ કવિ આપણને સમજાવે છે. આ ગઝલમાં કવિએ આ વાત બહુ જ અષ્ટ રીતે બતાવી છે.

પ્રશ્ન 2. અંતિમ બે શેરને આધારે આત્મનિરીક્ષણ અને પ્રામાણિકતા સમજાવો.
ઉત્તર :
પ્રથમ વાત એ છે કે કોઈ વ્યક્તિ સભામાં બેઠી હોય અને પોતાની જાતને પ્રામાણિકતાથી પૂછે કે આ સભામાં બેસવાની તેની પાત્રતા કે યોગ્યતા છે કે નહિ ? જો તેની પાત્રતા હોય તો જ તેણે આ સભામાં બેસવું જોઈએ. આ તેની પ્રામાણિકતા થઈ, બીજું, સભામાં બેઠા પછી, ફરી પોતાની જાતને પૂછે કે આ સભામાં બેસવાની તેની યોગ્યતા છે કે નહિ ? અને એને એમ લાગે કે આ સભામાં બેસવાની તેની યોગ્યતા નથી; તો તરત જ બીજી ક્ષણે ત્યાંથી ઊભા થઈને સભા છોડીને જવાની તેની તત્પરતા હોવી જોઈએ. આ તેનું આત્મનિરીક્ષણ થયું કહેવાય.