Std 10 Gujarati Textbook Solutions Chapter 13 ક્યાં રે વાગી
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
પ્રશ્ન 1. કાવ્યનાયિકા પર કાનાની મોરલીની શી અસર થઈ છે ?
(a) સ્તબ્ધ બનાવી દીધી
(b) મન હરી લીધું
(c) ભાન ભૂલાવી દીધું
(d) રાસ રમવા લાગી
ઉત્તર :
(b) મન હરી લીધું
પ્રશ્ન 2. કાનાની મોરલીએ કોણ ઘેલું બન્યું?
(a) ગોપાળો
(b) ગોપીઓ
(c) ગાયો
(d) ગરબો
ઉત્તર :
(d) ગરબો
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. કાવ્યમાં મોરલીના રાગને કેવો કહ્યો છે ?
ઉત્તર :
કાવ્યમાં મોરલીના રાગને ગૂઢો કહ્યો છે.
પ્રશ્ન 2. ગોપીએ કોનો સાથ છોડ્યો ?
ઉત્તર :
ગોપીએ સંયનો સાથ છોડ્યો છે.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. મોરલીના સાદની ગોપીઓના મન પર કેવી અસર થાય છે તે વર્ણવો.
ઉત્તર :
મોરલીના સરેવા અને મધુર રાગની ગોપીઓના મન પર ઘેરી અસર થાય છે. મોરબીના ઘેરા ગૂઢા નાદથી વિહવળ બનેલી ગોપી સુધબુધ ગુમાવી, મા-બાપને ભૂલીને, બાળકોને રેડતાં મૂકીને, ઘરનાં સઘળાં કામ પડતાં.
પ્રશ્ન 2. શ્રીકૃષ્ણની મોરલીને કવિએ અભાગણી કેમ કહી છે ?
ઉત્તર :
શ્રીકૃષ્ણની મોરલીને કવિએ અભાગણી કહી છે, કારણ કે શ્રીકૃષ્ણ પાસે અને સાથે મોરલી ચોવીસે કલાક રહે છે; તેથી ગોપીઓને મન તે શોક્ય સમાન લાગે છે. મોરલી શોક્યને કારણે ગોપીઓ શ્રીકૃષ્ણ પરમાત્માનું સાંનિધ્ય પામી શકતી નથી અને રાત્રે પણ મોરલીને વગાડીને ઉજાગરો કરાવે છે. કૃણ મોરલીને રાત્રે પણ આરામ કરવા દેતા નથી. આ કારણે મોરલી અભાગણી કહેવાય છે.
4. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો.
પ્રશ્ન 1. ‘ક્યાં રે વાગી’ – કાવ્યનો ભાવાર્થ સમજાવો.
ઉત્તર :
‘જ્યાં ૨ વાગી’ – લોકગીત બહુ સુંદર રીતે લખાયું છે. આ લોકગીતનો ભાવાર્થ પણ મોરલીના ગૂઢા નાદ જેવો ધીર ગંભીર છે, ના લોકગીતમાં ગોપીની કૃણમયતા સુંદર રીતે વ્યક્ત થઈ છે. મોરલીએ ગોપીનું મન હરી લીધું છે. ઈશ્વર પ્રાપ્તિની ઘેલછામાં ‘ રહેલો નર્યો ત્યાગ અને અનન્ય ભક્તિ ભાવનાનો બોધ સુપેરે વ્યક્ત થાય છે. જેને પ્રભુપ્રેમ પામવો હોય તેણે તન, મન અને ધન છોડવાં પડે છે, આ લોકગીતમાં પ્રભુપ્રેમની તાલાવેલી સરસ રીતે અભિવ્યક્ત થયેલી છે. કૃષ્ણમય બનેલી ગોપીને શ્રીકૃષ્ણ પરમાત્મા સર્વત્ર દેખાય છે.