Std 10 Gujarati Textbook Solutions Chapter 12 ઝબક જ્યોત
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
પ્રશ્ન 1. ‘ઝબક જ્યોત’ – એકાંકીના કેન્દ્રમાં કઈ ઘટના છે ?
(a) પિતાની બીક
(b) પિતાની જોહુકમી
(c) સ્વાતંત્ર્યસંગ્રામ
(d) આંદોલન
ઉત્તર :
(c) સ્વાતંત્ર્યસંગ્રામ
પ્રશ્ન 2. ઘવાયેલો દીપક કોનું સ્મરણ કરે છે?
(a) ઈશ્વરનું
(b) રાષ્ટ્રધ્વજનું
(c) અંગ્રેજોનું
(d) ડૉક્ટરોનું
ઉત્તર :
(b) રાષ્ટ્રધ્વજનું
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. ઘવાયેલા દીપકની પાસે કોણ કોણ વ્યાકુળ ચિત્તે બેઠાં છે ?
ઉત્તર :
ઘવાયેલા દીપકની પાસે માતા મેનાબેન, બહેન ઊર્મિ, પિતા સર અમલ દેરાસરી, ડૉકટ૨, પોલીસ ઉપરી નંદરાય અને અન્ય લોકો બાકુળ ચિત્તે બેઠાં છે.
પ્રશ્ન 2. દીપક બાને કોને કાગળ લખવા કહે છે ? અને કાગળમાં શું લખવા કહે છે ?
ઉત્તર :
દીપક બાને ગાંધીજીને જેલમાં કાગળ લખવા કહે છે. કાગળમાં લખવાનું કે દીપકે જ્યાં હશે ત્યાં વાવટો ફરકતો રાખશે !
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપક કઈ કલ્પના કરે છે ?
ઉત્તર :
અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપક એવી કલ્પના કરે છે કે મારો આ પાટો જ રાષ્ટ્રધ્વજ જેવો દેખાય છે. મારું લાલ લોહી, પાટો સફેદ અને મારાં વાળ લીલા; એટલે રાષ્ટ્રધ્વજ થઈ ગયો.
પ્રશ્ન 2. દીપક કેવી રીતે ઘવાયો ?
ઉત્તર :
દીપકને બંગલા ઉપર આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હતો. પણ પોતાના પિતાશ્રી અમલ દેરાસરીની બીકને કારણે જલદી જલદી આ કામ પતાવવા ગયો તેથી પડી ગયો અને ધાયલ થયો.
4. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :
પ્રશ્ન 1. એકાંકીને આધારે માતૃહૃદયની વ્યથા આલેખો.
ઉત્તર :
‘ઝબક જ્યોત’ એકાંકીમાં માતૃહૃદયની વ્યથાનું ખૂબ સચોટ અને ઘેરું દર્શન થાય છે, મેનાબેનના માતૃપ્રેમ આગળ આપણે પણ લાગણીશીલ બની જઈએ છીએ. તેઓ દીપકને બચાવવા ખૂબ પ્રેમ આપે છે. શાંત રહેવા, આરામ કરવા અને રાષ્ટ્રધ્વજને ભૂલી જવા પણ વારંવાર વિનવે છે. પોતાના પતિને પણ દીપકના અવસાનના જવાબદાર તરીકે વર્ણવે છે અને પોતાને જે દુ:ખ થાય છે તે માત્ર માતા જ સમજી શકે એમ કહે છે. દીપકની સરઘસ જોવાની ઇચ્છા તેઓ પૂરી કરે છે. આમ, મેનાબેનનું માતૃહૃદય પોતાના દુ:ખી અને ઘાયલ પુત્ર દીપક તરફ અત્યંત કોમળ અને દર્દભર્યું રહે છે.
પ્રશ્ન 2. દીપકના પિતાનું હૃદયપરિવર્તન તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર :
‘દીપકના પિતા’ નું હૃદય પરિવર્તન થાય છે, પણ એમાં ભોગ તો દીપકનો લેવાય છે. દીપકના પિતા’ એમ અવતરણ ચિનથી જ આપણને ખ્યાલ આવે છે કે આ ખરેખર ‘પિતા ની પદવીને લાયક છે ? અંગ્રેજ સરકારના અધિકારી હોવાને લીધે પહેલાં તેઓ અંગ્રેજ સરકારના વફાદાર નોકર છે અને પછી પિતા છે, દીપકના અવસાન પછી તેમનું હૃદય પરિવર્તન થાય છે. પોતાને મળેલ ખિતાબખતે તોડી નાખે છે, વડાલા રેડ પાડવાની તૈયારી કરે છે. તેથી આપણને ખ્યાલ આવે છે કે હવે તેઓ ખરેખર ‘દીપકના પિતા’ સાબિત થાય છે.