Hand Emojji Images Hello,Welcome to StudentBro.


Std 10 Gujarati Textbook Solutions Chapter 11 દીવાનખાનામાં

                                        સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની () નિશાની કરો.

પ્રશ્ન 1. સુશોભનથી કોણ પ્રસન્ન થાય છે?
(a) કાવ્યનાયિકા
(b) દીવાનખાનું
(c) મન
(d) બારી
ઉત્તર :
(b) દીવાનખાનું

પ્રશ્ન 2. કાવ્યનાયિકા કઈ જગ્યાએ વસ્તુઓ વ્યવસ્થિત કરી રહ્યાં છે ?
(a) રસોડામાં
(b) ઓસરીમાં
(c) દીવાનખાનામાં
(d) ફળિયામાં
ઉત્તર :
(c) દીવાનખાનામાં

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1. નાયિકા દીવાનખાનામાં વસ્તુઓ કેવી રીતે ગોઠવે છે ?
ઉત્તર :
નાયિકા દીવાનખાનામાં વસ્તુઓ વ્યવસ્થિત રીતે ગોઠવે છે.

પ્રશ્ન 2. કાવ્યમાં કયા અંગ્રેજી શબ્દોનો સમાવેશ થયો છે ?
ઉત્તર :
કાવ્યમાં wall to wall કારપેટ શબ્દનો ઉપયોગ થયો છે.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. નાયિકા દીવાનખાનાની કઈ-કઈ વસ્તુઓમાં શા માટે ફેરફાર કરે છે ?
ઉત્તર :
નાયિકા દીવાનખાનાની અનેક વસ્તુઓમાં ફેરફાર કરે છે કે જેથી દીવાનખાનું વધારે સુશોભિત લાગે, આવનારને ઘડીક બેસવાનું મન થાય, દીવાનખાનાની જે વસ્તુઓ હતી; તેનો સ્થાન બદલો કરે છે. તેને ત્યાં અને એને તહીં ગોઠવે છે. વસ્તુના મનને પૂછીને તેને યોગ્ય સ્થાને પ્રસ્થાપિત કરે છે. સોફા, લેંપ, બારીના પડદા, જૂનો ગાલીચ હટાવી wall to wall કારપેટ લગાવે છે, દીવાનખાનું સુશોભિત અને વ્યવસ્થિત કરવા માટે આટલાં ફેરફાર કરે છે.

પ્રશ્ન 2. કાવ્યના અંતે નાયિકા કેવો મનોભાવ અનુભવે છે ?
ઉત્તર :
કાવ્યના અંતે નાયિકાનો મનોભાવ એકલતાનો જણાઈ આવે છે. માણસ સંબંધની જગ્યા સાધનો કે સંપત્તિથી ભરી તો શકે, પણ પછી એકલતા અનુભવે તેની વેદના નાયિકાને કાવ્યના અંતે અનુભવાય છે. તેણીને દીવાનખાનામાં બેસવાનું કોઈ કેન્દ્ર દેખાતું નથી, તેથી દુઃખી થતી ઊભી જ રહે છે !

4. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1. કાવ્યમાં ‘વસ્તુઓ ગોઠવાઇ શકે છે, મન ગોઠવાતું નથી’, તેની વેદનાને સમજાવો.
ઉત્તર :
દીવાનખાનામાં’ કાવ્યનાયિકા પોતાના દીવાનખાનાને વિવિધ વસ્તુઓથી શણગારે છે, વસ્તુઓના મનને પૂછીને યોગ્ય સ્થાને વ્યવસ્થિત ગોઠવે છે, જૂની વસ્તુઓને કાઢીને નવી લાવે છે. સ્થાન ફેર કરે છે. બારીના પડદા અને જૂનો ગાલીચો બદલી નાખે છે, બારીના પડદા નવાં અને wall to wall કારપેટથી દીવાનખાનું ચમકે છે. આવનારને શાંતિથી બેવડી બેસવાનું મન થાય, એવું દીવાનખાનું બનાવે છે. સોફા અને લૅમ્પને નવી જગ્યાએ ગોઠવે છે. આમ, કાવ્ય નાયિકા દીવાનખાનામાં અનેક ફેરફાર કરે છે.