Std 10 Gujarati Textbook Solutions Chapter 10 નથી
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
પ્રશ્ન 1. કાન્તિ ઘેર આવતો ત્યારે બા તેનાં …………. લેતી.
(a) કપડાં
(b) ભોજન
(c) પૈસા
(d) દુઃખણાં
ઉત્તર :
(d) દુઃખણાં
પ્રશ્ન 2. “હાય-હાય આંખ ફૂટી ગઈ કે શું ?” – આ વાક્ય કોણ બોલે છે ? કોને કહે છે ?
(a) કંચનમાસી બાને
(b) કાન્તિ કંચનમાસીને
(c) બા કાન્તિને
(d) કાન્તિ બાને
ઉત્તર :
(a) કંચનમાસી બાને
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. કાન્તિ અને રમા ક્યાં જઈને વસે છે ?
ઉત્તર :
કાન્તિ અને રમાં લગ્નના બીજા જ વર્ષે અમદાવાદ જઈને વસે છે.
પ્રશ્ન 2. લેખકના મતે રમાએ કાન્તિને બા પાસેથી કેવી રીતે વાળી લીધો હતો ?
ઉત્તર :
લેખકના મતે રમાએ કાન્તિને બા પાસેથી એવી રીતે વાળી લીધો હતો કે જાણે કોઈ વાછડાને તેની મા ગાય પાસેથી વાળી લે.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1. કાન્તિએ નાનપણમાં રમતાં-રમતાં પથ્થર ફેંક્યો તે કોને વાગ્યો હતો ? તેનું શું પરિણામ આવ્યું ?
ઉત્તર :
એક વાર કાન્તિ પથ્થરથી નિશાન તાકતો હતો. ત્યારે તેની ઉંમર દસ-અગિયાર વરેસની હશે. બહુ અનાડી હતો, આ પથ્થર બાને વાગ્યો, આંખ ઉપર પથ્થર વાગવાથી લોહીની ધાર નીકળી. બા અને કંચનમાસી તેના ઉપર નિજાયા, તે નાસી ગયો.
પ્રશ્ન 2. બા નાનપણમાં મોટાને તેડતી ત્યારે કાન્તિના દિલમાં કેવો ભાવ જાગતો ?
ઉત્તર :
બા નાનપણમાં મોટાને તેડતી અને કાનિને ચાલવું પડતું, તેથી કાન્તિના મનમાં મોટા ભાઈ ત૨ફ તિરસ્કાર અને નફરતની લાગણી જન્મે છે. બા પોતાને અન્યાય કરે છે, એમ કાન્તિને ઘણાં વર્ષો સુધી યાદ રહ્યું
4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
પ્રશ્ન 1. વિધવા બા પારવતીએ કાન્તિ અને તેના મોટાભાઈને કેવી-કેવી મુશ્કેલ પરિસ્થિતિમાં ઉછેર્યા હતા ?
ઉત્તર :
વિધવા બા પારવતીએ કાન્તિ અને તેના મોટા ભાઈ હિંમતને ઘણી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીને ઉછેરીને મોટા કર્યા હતા અને પરણાવીને ઠરીઠામ પણ કર્યા હતા. વિધવા બા વડી, પાપડ, ગોદડાં, ગાદલાં, ભરત, ગૂંથણ વગેરે કામ કરી તેમાંથી જે પૈસા મળે તેમાંથી કરકસર કરીને બે પૈસા રળી લેતા અને બે છોકરાને ઉછેરતા, પોતાનું મકાન હતું એટલે શાંતિથી રાંધી-ખાઈ લેતા. બીજી કોઈ આવક ન હતી.
પ્રશ્ન 2. પારવતીબા અને મોટાભાઈ માટે રમાના મનમાં કેવો ભાવ હતો તે પાઠને આધારે લખો.
ઉત્તર :
પારવતીબા અને મોટા ભાઈ હિંમત માટે રમાના મનમાં ઇર્ષ્યા ઉપરાંત નફરતનો ભાવ રહેતો હતો. પારવતીબા પાસેથી કાન્તિને એવી રીતે વાળી લીધો, જેવી રીતે કોઈ વાછડાને ગાય પાસેથી વાળી લે. બીજે વરસે જ જુદી થઈને અમદાવાદ જતી રહે છે, ત્યાં પણ કાન્તિના મનમાં બા વિશે સાચી-ખોટી વાતો કહીને માનસિક પરિતાપ આપે છે. બાને કસબી અને પૈસાની પુજારણ કે કંજૂસ પણ કહે છે.
મોટા ભાઈ હિંમત વિશે પણ જેમતેમ બોલે છે, પોતાના પૈસે મોટા ભાઈ જીવે છે – બા જીવે છે એમ કાન્તિને કહે છે. એક બે વખત મોટા ભાઈ બાનું ઉપરાણું લેવા અમદાવાદ આવીને તેને ઠપકાંના બે વેણ કહેવા આવે છે, તે રમાથી સહન થતાં નથી. આમ, પહેલેથી જ રમાને બા અને મોટા ભાઈ તરફ જરાપણ લાગણી થતી નથી.