Hand Emojji Images Hello,Welcome to StudentBro.


Std 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની () નિશાની કરો. 

પ્રશ્ન 1. કોના દર્શનથી મીરાંબાઈનાં દુઃખ દૂર થાય છે ?
(a)
ગિરિધર
(b) વિષ્ણુ
(c) શિવ
(d) હનુમાનજી
ઉત્તરઃ
(a) ગિરિધર

પ્રશ્ન 2. મોરલીનો નાદ ક્યાં ગાજે છે ?
(a)
ગગન
(b) ધરતી
(c) દિશાઓ
(d) પાતાળ
ઉત્તરઃ
(a) ગગન

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1. વૃંદાવનના માર્ગે વ્હાલો શું માંગે છે ?
ઉત્તરઃ
વૃંદાવનને માર્ગે વહાલો દધિના દાણ માગે છે.

પ્રશ્ન 2. આ કાવ્યમાં ‘વ્હાલો’ શબ્દ કોના માટે પ્રયોજાયો છે ?
ઉત્તરઃ
આ કાવ્યમાં “વહાલા” શબ્દ શ્રીકૃષ્ણ પરમાત્મા વાસુદેવના અર્થમાં પ્રયોજાયો છે.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1. આ કાવ્યને આધારે કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો.
ઉત્તરઃ
શ્રીકૃષ્ણ પહેરવેશમાં સુંદર મજાનું પીળું પીતાંબર ધારણ કરેલ છે, જરકસી જામાં પહેરેલ છે, માથે કે કેડ ઉપર પીળાં પટકા ધારણ કરેલ છે, શ્રી કૃષ્ણના કાનમાં કુંડળ ઝળકે છે, મસ્તક ઉપર મુગટ ધારણ કરે છે અને મુખ ઉપર મોરલી બિરાજેલ છે, આમ, શ્રીકૃષ્ણનો પહેરવેશમાં સૌ કોઈને આકર્ષિત કરે એવા સુંદર છે.

પ્રશ્ન 2. કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે ?
ઉત્તરઃ
શ્રીકૃષ્ણ વૃંદાવનની કુંજ ગલીમાં નાચે છે, શ્રીકૃષ્ણ વૃંદાવનની કુંજગલીમાં થનક થનક થૈ થૈ કરીને નાચે છે. સૌના મનને મોહિત કરે છે.

4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1. આ કાવ્યને આધારે કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો.
ઉત્તરઃ
વૃંદાવનમાં ગિરિધર શ્રીકૃષ્ણ પોતાની પ્રિય ગોપીઓ સાથે નિરંતર રાસ રમે છે. પોતે અનેક રૂપે દરેક ગોપીની સાથે જોડી બનાવે છે. રાસમંડળના મુખ્ય અતિથિ તરીકે તેઓ જ કેન્દ્રમાં રહે છે, સૌ ગોપીઓ અને બાળમિત્રો પણ આ રાસમાં જોડાય છે. મોરલીના મધુર સૂરો રાસ સાથે જોડાવાથી રાસમાં દિવ્ય વાતાવરણ ઊભું થાય છે. આ રાસલીલાથી ગોપીઓ, ગોપબાળકો અને ભક્તોને અનેરો આનંદ પ્રાપ્ત થાય છે.